મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં સર્વ હિન્દૂ સમાજ દ્વારા રામનવમીની ભવ્ય શોભાયાત્રા-ઓરક્રેસ્ટ્રા સાથે ભજન સંધ્યા યોજાઇ


SHARE













મોરબીમાં સર્વ હિન્દૂ સમાજ દ્વારા રામનવમીની ભવ્ય શોભાયાત્રા-ઓરક્રેસ્ટ્રા સાથે ભજન સંધ્યા યોજાઇ

મોરબીમાં રામનવમીની ભવ્ય ઉજવણી કરવા માટેનું આયોજન સર્વ હિન્દૂ સમાજ દ્વારા કરવામાં આવ્યું છે. અને ત્યારે મોરબીમાં ભગવાન રામની સાત ફૂટની ભવ્ય મૂર્તિ સાથે શોભાયાત્રામાં નીકળી હતી જેમાં હનુમાનજીની પણ  મૂર્તિ રાખવામા આવી હતી અને આ શોભાયાત્રા મહારાણા પ્રતાપ સર્કલથી શરૂ કરવામાં આવી હતી અને તેમાં મોરબી માળીયાના ધારાસભાયા કાંતિભાઈ અમૃતિયા  અને ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા સહિતના રાજકીય આગેવાનો, સામાજીક આગેવાનો હાજર રહ્યા હતા અને આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગ નટરાજ ફાટક, ત્રિકોણ બાગગેસ્ટ હાઉસ રોડપરાબજારનવા ડેલા રોડસાવસર પ્લોટરામચોકનવા બસ સ્ટેન્ડબાપા સીતારામ ચોકરવાપર રોડએચડીએફસી બેન્કની ચોકડીગાંધીચોક થઈને નહેરુ ગેઇટ ચોક ખાતે પૂરી કરવામાં આવી હતી આ શોભાયાત્રાનું ઠેરઠેર મોરબ્ના દરેક વિસ્તારમાં જુદાજુદા જ્ઞાતિ, સમાજ અને સંગઠન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને શોભાયાત્રામાં જોડાયેલા લોકો માટે ઠંડાપીણા, નાસ્તા સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી અને મોરબીમાં ભગવાન રામના જન્મોત્સવ નિમિતે જુદાજુદા રામજી મંદિરોમાં મહાઆરતીપૂજા અર્ચના સહિતના કાર્યક્રમો યોજાયા હતા અને છેલ્લે મોરબીના નહેરુ ગેઇટ ચોકમાં લાઈવ  ઓરક્રેસ્ટ્રાભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, સહિતના જુદાજુદા હિન્દુ સંગઠનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી






Latest News