મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં સર્વ હિન્દૂ સમાજ દ્વારા રામનવમીની ભવ્ય શોભાયાત્રા-ઓરક્રેસ્ટ્રા સાથે ભજન સંધ્યા યોજાઇ


SHARE











મોરબીમાં સર્વ હિન્દૂ સમાજ દ્વારા રામનવમીની ભવ્ય શોભાયાત્રા-ઓરક્રેસ્ટ્રા સાથે ભજન સંધ્યા યોજાઇ

મોરબીમાં રામનવમીની ભવ્ય ઉજવણી કરવા માટેનું આયોજન સર્વ હિન્દૂ સમાજ દ્વારા કરવામાં આવ્યું છે. અને ત્યારે મોરબીમાં ભગવાન રામની સાત ફૂટની ભવ્ય મૂર્તિ સાથે શોભાયાત્રામાં નીકળી હતી જેમાં હનુમાનજીની પણ  મૂર્તિ રાખવામા આવી હતી અને આ શોભાયાત્રા મહારાણા પ્રતાપ સર્કલથી શરૂ કરવામાં આવી હતી અને તેમાં મોરબી માળીયાના ધારાસભાયા કાંતિભાઈ અમૃતિયા  અને ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા સહિતના રાજકીય આગેવાનો, સામાજીક આગેવાનો હાજર રહ્યા હતા અને આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગ નટરાજ ફાટક, ત્રિકોણ બાગગેસ્ટ હાઉસ રોડપરાબજારનવા ડેલા રોડસાવસર પ્લોટરામચોકનવા બસ સ્ટેન્ડબાપા સીતારામ ચોકરવાપર રોડએચડીએફસી બેન્કની ચોકડીગાંધીચોક થઈને નહેરુ ગેઇટ ચોક ખાતે પૂરી કરવામાં આવી હતી આ શોભાયાત્રાનું ઠેરઠેર મોરબ્ના દરેક વિસ્તારમાં જુદાજુદા જ્ઞાતિ, સમાજ અને સંગઠન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને શોભાયાત્રામાં જોડાયેલા લોકો માટે ઠંડાપીણા, નાસ્તા સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી અને મોરબીમાં ભગવાન રામના જન્મોત્સવ નિમિતે જુદાજુદા રામજી મંદિરોમાં મહાઆરતીપૂજા અર્ચના સહિતના કાર્યક્રમો યોજાયા હતા અને છેલ્લે મોરબીના નહેરુ ગેઇટ ચોકમાં લાઈવ  ઓરક્રેસ્ટ્રાભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, સહિતના જુદાજુદા હિન્દુ સંગઠનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી






Latest News