મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીના મકનસર પાસે પાણીની મોટર ચાલુ કરવા બાબતે ભાભી-નણંદો વચ્ચે બઘડાટી


SHARE













મોરબીના મકનસર પાસે પાણીની મોટર ચાલુ કરવા બાબતે ભાભી-નણંદો વચ્ચે બઘડાટી

મોરબી નજીકના મકનસર ગામ પાસે આવેલ વાદીપરામાં પાણીની મોટર ચાલુ કરવા બાબતે ભાભી અને નણંદો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં બંને પક્ષેથી કુલ મળીને ત્રણ વ્યક્તિને ઈજા થતાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવાની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકાનસર ગામ પાસે વાદીપરા વિસ્તારની અંદર રહેતા સવિતાબેન ચંદુભાઈ થરેસા (૨૫), સોનીબેન મુન્નાભાઈ ચંદેહરિયા (૩૦) અને કાજલબેન રણજીતભાઈ પંચાસરા (૨૦) ને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલ ત્રણેય મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મારામારીના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની તપાસ કરતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એમ. જાપડીયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ભાભી સવિતાબેન સાથે નણંદ સોનીબેન અને કાજલબેનને પાણીની મોટર ચાલુ કરવા બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ મારામારીનો બનાવ બન્યો હતો અને તેમાં આ ત્રણેય મહિલાઓને ઈજા થઈ હોવાથી ઇજાગ્રસ્તોને સારવાર માટે લઈને આવ્યા હતા જે બનાવવાની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી ચાલી રહી છે

અકસ્માતમાં ઇજા

અમદાવાદના ગોતા સ્મશાન પાસે બાઈકમાંથી પડી જતા ઈજા પામેલા ભરતભાઈ ઝીણાભાઈ પટેલ (૭૪) રહે. ૧૦૨ સેવન્સ પેરેડાઇઝ સિલ્વર પાર્કની સામે ન્યુ ગોતા વાળાને મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા છે અને અકસ્માતના આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હત






Latest News