મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના હરીપર પાસે ગાડીમાં પંચર પડેલ વ્હીલ બદલતા યુવાનને અન્ય કારના ચાલકે ઉડાવ્યો


SHARE













માળીયા (મી)ના હરીપર પાસે ગાડીમાં પંચર પડેલ વ્હીલ બદલતા યુવાનને અન્ય કારના ચાલકે ઉડાવ્યો

માળીયા તાલુકાના હરીપર ગામ પાસે ગાડીમાં પંચર પડ્યું હોવાથી ગાડીનું વ્હીલ બદલતા યુવાનને અન્ય ગાડીના ચાલકે ઠોકર મારી હતી જેથી કરીને ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને હોસ્પિટલે સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને પ્રથમ જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી વિગત પ્રમાણે જામનગરમાં ગુલાબનગર રોડ ઉપર આવેલ રાધા કૃષ્ણ પાર્કમાં રહેતા પંચાણભાઈ સીદાભાઈ રબારી (૩૮) કચ્છમાંથી જામનગર તરફ પોતાના ઘર બાજુ જઈ રહ્યા હતા ત્યારે માળિયા હાઇવે ઉપર હરીપર ગામ નજીક તેની ગાડીમાં પંચર પડ્યું હતું જેથી કરીને ગાડીનું વ્હીલ બદલતા હતા ત્યારે અન્ય કારના ચાલકે તેઓને હડફેટે લેતા તેના ઇજા થઈ હતી જેથી કરીને ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીમાં આવેલ સમર્પણ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને હોસ્પિટલમાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વાલભા ચાવડા ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે

ઝેરી દવા પીધી

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ઉમા ટાઉનશીપની બાજુમાં આવેલ ગિરારાજ સોસાયટીમાં રહેતા ખમાબા ધર્મેન્દ્રસિંહ જાડેજા (૪૩) પોતાના ઘરે હતા ત્યારે કોઈ અજાણી ઝેરી દવા પી જતા તેને પ્રથમ સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી વિગતો મુજબ પરણીતાનો લગ્ન ગાળો ૨૫ વર્ષનો છે જોકે, તેને કયા કારણોસર ઝેરી દવા પીધી હતી તે દિશામાં હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વાલભા ચાવડા તપાસ ચલાવી રહ્યા છે.






Latest News