મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના હરીપર પાસે ગાડીમાં પંચર પડેલ વ્હીલ બદલતા યુવાનને અન્ય કારના ચાલકે ઉડાવ્યો


SHARE











માળીયા (મી)ના હરીપર પાસે ગાડીમાં પંચર પડેલ વ્હીલ બદલતા યુવાનને અન્ય કારના ચાલકે ઉડાવ્યો

માળીયા તાલુકાના હરીપર ગામ પાસે ગાડીમાં પંચર પડ્યું હોવાથી ગાડીનું વ્હીલ બદલતા યુવાનને અન્ય ગાડીના ચાલકે ઠોકર મારી હતી જેથી કરીને ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને હોસ્પિટલે સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને પ્રથમ જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી વિગત પ્રમાણે જામનગરમાં ગુલાબનગર રોડ ઉપર આવેલ રાધા કૃષ્ણ પાર્કમાં રહેતા પંચાણભાઈ સીદાભાઈ રબારી (૩૮) કચ્છમાંથી જામનગર તરફ પોતાના ઘર બાજુ જઈ રહ્યા હતા ત્યારે માળિયા હાઇવે ઉપર હરીપર ગામ નજીક તેની ગાડીમાં પંચર પડ્યું હતું જેથી કરીને ગાડીનું વ્હીલ બદલતા હતા ત્યારે અન્ય કારના ચાલકે તેઓને હડફેટે લેતા તેના ઇજા થઈ હતી જેથી કરીને ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીમાં આવેલ સમર્પણ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને હોસ્પિટલમાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વાલભા ચાવડા ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે

ઝેરી દવા પીધી

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ઉમા ટાઉનશીપની બાજુમાં આવેલ ગિરારાજ સોસાયટીમાં રહેતા ખમાબા ધર્મેન્દ્રસિંહ જાડેજા (૪૩) પોતાના ઘરે હતા ત્યારે કોઈ અજાણી ઝેરી દવા પી જતા તેને પ્રથમ સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી વિગતો મુજબ પરણીતાનો લગ્ન ગાળો ૨૫ વર્ષનો છે જોકે, તેને કયા કારણોસર ઝેરી દવા પીધી હતી તે દિશામાં હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વાલભા ચાવડા તપાસ ચલાવી રહ્યા છે.






Latest News