મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના હરીપર પાસે ગાડીમાં પંચર પડેલ વ્હીલ બદલતા યુવાનને અન્ય કારના ચાલકે ઉડાવ્યો


SHARE







માળીયા (મી)ના હરીપર પાસે ગાડીમાં પંચર પડેલ વ્હીલ બદલતા યુવાનને અન્ય કારના ચાલકે ઉડાવ્યો

માળીયા તાલુકાના હરીપર ગામ પાસે ગાડીમાં પંચર પડ્યું હોવાથી ગાડીનું વ્હીલ બદલતા યુવાનને અન્ય ગાડીના ચાલકે ઠોકર મારી હતી જેથી કરીને ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને હોસ્પિટલે સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને પ્રથમ જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી વિગત પ્રમાણે જામનગરમાં ગુલાબનગર રોડ ઉપર આવેલ રાધા કૃષ્ણ પાર્કમાં રહેતા પંચાણભાઈ સીદાભાઈ રબારી (૩૮) કચ્છમાંથી જામનગર તરફ પોતાના ઘર બાજુ જઈ રહ્યા હતા ત્યારે માળિયા હાઇવે ઉપર હરીપર ગામ નજીક તેની ગાડીમાં પંચર પડ્યું હતું જેથી કરીને ગાડીનું વ્હીલ બદલતા હતા ત્યારે અન્ય કારના ચાલકે તેઓને હડફેટે લેતા તેના ઇજા થઈ હતી જેથી કરીને ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીમાં આવેલ સમર્પણ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને હોસ્પિટલમાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વાલભા ચાવડા ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે

ઝેરી દવા પીધી

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ઉમા ટાઉનશીપની બાજુમાં આવેલ ગિરારાજ સોસાયટીમાં રહેતા ખમાબા ધર્મેન્દ્રસિંહ જાડેજા (૪૩) પોતાના ઘરે હતા ત્યારે કોઈ અજાણી ઝેરી દવા પી જતા તેને પ્રથમ સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી વિગતો મુજબ પરણીતાનો લગ્ન ગાળો ૨૫ વર્ષનો છે જોકે, તેને કયા કારણોસર ઝેરી દવા પીધી હતી તે દિશામાં હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વાલભા ચાવડા તપાસ ચલાવી રહ્યા છે.






Latest News