મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં શહીદ દિને યંગ ઇન્ડિયા ગ્રુપ-પી.જી.પટેલ કોલેજ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ


SHARE











મોરબીમાં શહીદ દિને યંગ ઇન્ડિયા ગ્રુપ-પી.જી.પટેલ કોલેજ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ

શહીદ દિવસે સમગ્ર દેશે શહીદ ભગતસિંહ, રાજયગુરુ અને સુખદેવની વીરાંજલીને કોટી કોટી પ્રણામ કર્યા છે ત્યારે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ અને પી.જી. પટેલ કોમર્સ કોલેજ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીના શનાળા રોડે આવેલ સ્કાય મોલથી લઈને ગાંધીચોક સુધી શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ૨૩૦૦ ફૂટ લાંબી તિરંગા યાત્રા પહોચી હતી જેમાં બાળકો અને યુવાનો સહિતના જોડાયા હતા ત્યારે યુવાનોએ વંદે માતરમ તેમજ શહીદો અમર રહોના નારા લગાવી શહીદોની દેશભક્તિને આત્મસાત કરવાના સંકલ્પ લીધા હતા. અને મોરબીના ગાંધીચોકમાં આવેલ ભગતસિંહની પ્રતિમાને ફુલહાર તેમજ પ્રતીકાત્મક દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો તેમજ ૧૦૦ યુવાનોએ વ્યસન મુક્તિનો સંકલ્પ લીધો હતો ત્યારે યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, દરેક ભારતીય આદર્શ નાગરિક બનીને જવાબદારીનું વહન કરે તેજ સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશે. આ તકે પી.જી. પટેલ કોમર્સ કોલેજના આચાર્ય ડો. રવિન્દ્રભાઈ ભટ્ટ સહિતનો સ્ટાફ પણ હાજર રહ્યો હતો






Latest News