બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરની કેરાળા પ્રાથમિક શાળાના આચાર્યની પુનઃ પંચાસીયા ગામે બદલી થતા શાળાના બાળકોએ ભીની આંખે આપી વિદાય


SHARE











વાંકાનેરની કેરાળા પ્રાથમિક શાળાના આચાર્યની પુનઃ પંચાસીયા ગામે બદલી થતા શાળાના બાળકોએ ભીની આંખે આપી વિદાય

વાંકાનેર તાલુકાના પંચાશિયા ગામે પાંચ વર્ષ આચાર્ય તરીકે ફરજ બજાવ્યા બાદમાં શ્રી કેરાળા પ્રાથમિક શાળા, તા.વાંકાનેર, જી.મોરબી ખાતે ત્રણ વર્ષ પહેલાં ફરજ ઉપર નિમણૂંક પામેલ એચ-ટાટ પ્રિન્સિપાલ ચેતનકુમાર જી.બોસિયાની વાંકાનેર તાલુકાના પંચાશિયા ગામે શ્રી પંચાશિયા પ્રાથમિક શાળામાં પુન: આચાર્ય તરીકે બદલી થતા કેરાળા પ્રાથમિક શાળા પરીવાર અને શાળાના વિદ્યાર્થીઓએ ચેતનકુમાર બોસીયાને લાગણી સભર વિદાય આપી હતી.તેઓના માર્ગદર્શન હેઠળ શાળાના બાળકોએ રાષ્ટ્રીય કક્ષાએ લેવાતી National Means Cum Merit Scholarship(NMMS-એનએમએમએસ), રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી પીએસઇ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ મેરિટમાં સ્થાન પામ્યા છે.તેમજ જવાહર નવોદય પરીક્ષામાં પાસ થઈને અનેક વિદ્યાર્થીઓએ શાળા અને કેરાળા ગામનું નામ રોશન કર્યું છે.શાળા પરિવાર અને શાળાના આચાર્ય ચેતનકુમાર જી.બોસિયાના માર્ગદર્શન હેઠળ આ સિધ્ધી શાળાના બાળકોએ હાંસલ કરી છે. મોરબીના કેરાળા પ્રાથમિક શાળામાંથી આચાર્ય ચેતનભાઇ બોસિયાની પુન: પંચાસીયા પ્રા. શાળા ખાતે બદલી થતાં કેરાળા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના આંખોના ખૂંણા ભીના થયા હતા અને આચાર્ય ચેતનકુમાર બોસીયાને ભારે હૃદયે સૌએ વિદાય આપી હતી.






Latest News