મોરબી જિલ્લા પંચાયત, 5 તાલુકા પંચાયત અને 2 પાલિકાની 179 બેઠક માટે ભાજપમાં 580 દાવેદાર: કાલે મોરબી મહાપાલિકા-માળીયા (મી) પાલિકાની બેઠકો માટે સેન્સ લેવાશે મોરબી: રાપર-મણાબા વચ્ચે અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત ટંકારાના મોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ ઉજવાઇ મોરબીમાં ફાયરના વાહનોમાં ઝડપથી પાણી ભરી શકાય તે માટે નવા 5 પોઈન્ટની વ્યવસ્થા ઊભી કરાઇ મોરબીમાં નકલી દૂધ-નકલી પનીરનું વેચાણ થતું હોવાનું ગ્રાહક સુરક્ષા મંડળે કરી કમિશનરને રજૂઆત મોરબીમાં બાબા સાહેબ આંબેડકરજી-મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન મોરબી જીલ્લામાં 89 પોલીસ કર્મચારીઓની બદલી મોરબીના કેળવણી નિરીક્ષક શિક્ષણ વય નિવૃત થતા વિદાયમાન અપાયું
Breaking news
Morbi Today

મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ અંતર્ગત ગુરૂવારે વીર માંગળાવાળો અને પદ્માવતી નાટક યોજાશે


SHARE











મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ અંતર્ગત ગુરૂવારે વીર માંગળાવાળો અને પદ્માવતી નાટક યોજાશે

મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી માતૃવંદના ટ્રસ્ટ દ્વારા એક શામ અમર જવાનો કે નામ કાર્યક્રમનુ આયોજન ૨૩ માર્ચના રોજ કરવામાં આવે છે તેવી જ રીતે આગામી ૨૩ માર્ચના રોજ એક શામ અમર જવાનો કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે વીર માંગળાવાળો અને પદ્માવતી નાટક યોજાશે

દેશમાં ભગતસિંહરાજ્યગુરુ અને સુખદેવની શહાદતની યાદ ૨૩ માર્ચને શાહિદ દિવસ તરીકે યાદ કરવામાં આવે છે ત્યારે મોરબીમાં છેલ્લા ૧૧ વર્ષથી માતૃવંદના ટ્રસ્ટ દ્વારા શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેવી જ રીતે આ વર્ષે ૨૩ માર્ચના રોજ એક શામ અમર જવાનો કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વીર માંગળાવાળો અને પદ્માવતી નાટકનું ભવ્ય આયોજન કરાયું છે આ કાર્યક્રમ મોરબીના એસપી રોડ તથા ઘુનડા રોડ વચ્ચે આવેલ સનસીટી ગ્રાઉન્ડ ખાતે રાખવામા આવ્યો છે અને રાત્રે ૮:૩૦ વાગ્યાથી નાટક શરૂ થશે અને અંદાજે 10 હજારથી વધુ લોકો બેસીને આ નાટક જોઈ શકે તેવી વ્યવસ્થા આયોજકો દ્વારા કરવામાં આવી છે અને આ નાટક પુરુષાર્થ એજ્યુકેશન સિસ્ટમ ભણવડના ૭૦ વિદ્યાર્થીઓ સહિત ૧૦૦ જેટલા કલાકારો દ્વારા રજૂ કરવામાં આવશે તેવું આયોજકોએ જણાવ્યુ છે






Latest News