મોરબી જિલ્લા પંચાયત, 5 તાલુકા પંચાયત અને 2 પાલિકાની 179 બેઠક માટે ભાજપમાં 580 દાવેદાર: કાલે મોરબી મહાપાલિકા-માળીયા (મી) પાલિકાની બેઠકો માટે સેન્સ લેવાશે મોરબી: રાપર-મણાબા વચ્ચે અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત ટંકારાના મોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ ઉજવાઇ મોરબીમાં ફાયરના વાહનોમાં ઝડપથી પાણી ભરી શકાય તે માટે નવા 5 પોઈન્ટની વ્યવસ્થા ઊભી કરાઇ મોરબીમાં નકલી દૂધ-નકલી પનીરનું વેચાણ થતું હોવાનું ગ્રાહક સુરક્ષા મંડળે કરી કમિશનરને રજૂઆત મોરબીમાં બાબા સાહેબ આંબેડકરજી-મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન મોરબી જીલ્લામાં 89 પોલીસ કર્મચારીઓની બદલી મોરબીના કેળવણી નિરીક્ષક શિક્ષણ વય નિવૃત થતા વિદાયમાન અપાયું
Breaking news
Morbi Today

મોરબી નજીકના પાનેલી ગામે ગૌશાળાની ગાયોના લાભાર્થે રામકથાનું આયોજન


SHARE











મોરબી નજીકના પાનેલી ગામે ગૌશાળાની ગાયોના લાભાર્થે રામકથાનું આયોજન

મોરબી નજીકના પાનેલી ગામે ઘણા વર્ષો પછી ગ્રામજનોના સાથ સહકાર અને સહયોગથી શ્રી સીતારામ ગૌશાળાના શુભારંભ પ્રસંગે ગૌમાતાના લાભાર્થે ભવ્ય અને દિવ્ય રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે જેનો લાભ લેવા માટે સમસ્ત પાનેલી ગામ સહિતના લોકોને આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે 

રામકથા પ્રારંભે મસાણી મેલડીનો યજ્ઞ, સમસ્ત પાનેલી  ધુવાળા બંધ ગામ માટે બપોરે મહાપ્રસાદ સહિતનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે  આ ધાર્મિક કાર્યનો તમામ સમાજના લોકોએ તન, મન અને ધનથી લાભ લેવા આયોજકોએ જણાવ્યુ છે આ રામ કથાનો પ્રારંભ તા ૨૬-૩ થી થવાનો છે ત્યારે પહેલા માં મસાણી મેલડીનો મંડપ રોપણ તથા યજ્ઞ સવારે ૮:૧૫ કલાકે અને યજ્ઞના યજમાન ચાવડા ભુરાભાઈ દાનાભાઈ છે તેમજ પોથીયાત્રા સવારે ૯:૩૦ કલાકે રામદેવપીર મંદિરથી કથામંડપ સુધી યોજાશે અને બપોરે મહાપ્રસાદ ૧૨ કલાકે યોજાશે ત્યાર બાદ બપોરે બે વાગ્યાથી કથા પ્રારંભ થશે અને દરરોજ કથા બપોરે બે થી છ વાગ્યા સુધી ચાલશે આટલું જ નહીં કથા દરમિયાન દરરોજ રાત્રે ૯ વાગ્યાથી ભજન, કિર્તન, સંતવાણી, આખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે આ કથાની પુર્ણાહુતિ તા ૩-૪ ના રોજ થશે






Latest News