હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી નજીકના પાનેલી ગામે ગૌશાળાની ગાયોના લાભાર્થે રામકથાનું આયોજન


SHARE











મોરબી નજીકના પાનેલી ગામે ગૌશાળાની ગાયોના લાભાર્થે રામકથાનું આયોજન

મોરબી નજીકના પાનેલી ગામે ઘણા વર્ષો પછી ગ્રામજનોના સાથ સહકાર અને સહયોગથી શ્રી સીતારામ ગૌશાળાના શુભારંભ પ્રસંગે ગૌમાતાના લાભાર્થે ભવ્ય અને દિવ્ય રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે જેનો લાભ લેવા માટે સમસ્ત પાનેલી ગામ સહિતના લોકોને આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે 

રામકથા પ્રારંભે મસાણી મેલડીનો યજ્ઞ, સમસ્ત પાનેલી  ધુવાળા બંધ ગામ માટે બપોરે મહાપ્રસાદ સહિતનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે  આ ધાર્મિક કાર્યનો તમામ સમાજના લોકોએ તન, મન અને ધનથી લાભ લેવા આયોજકોએ જણાવ્યુ છે આ રામ કથાનો પ્રારંભ તા ૨૬-૩ થી થવાનો છે ત્યારે પહેલા માં મસાણી મેલડીનો મંડપ રોપણ તથા યજ્ઞ સવારે ૮:૧૫ કલાકે અને યજ્ઞના યજમાન ચાવડા ભુરાભાઈ દાનાભાઈ છે તેમજ પોથીયાત્રા સવારે ૯:૩૦ કલાકે રામદેવપીર મંદિરથી કથામંડપ સુધી યોજાશે અને બપોરે મહાપ્રસાદ ૧૨ કલાકે યોજાશે ત્યાર બાદ બપોરે બે વાગ્યાથી કથા પ્રારંભ થશે અને દરરોજ કથા બપોરે બે થી છ વાગ્યા સુધી ચાલશે આટલું જ નહીં કથા દરમિયાન દરરોજ રાત્રે ૯ વાગ્યાથી ભજન, કિર્તન, સંતવાણી, આખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે આ કથાની પુર્ણાહુતિ તા ૩-૪ ના રોજ થશે






Latest News