મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ નજીક કેનાલમાંથી મળેલ યુવાનની લાશની ઓળખ મળી


SHARE











મોરબીના ઘુંટુ નજીક કેનાલમાંથી મળેલ યુવાનની લાશની ઓળખ મળી

મોરબી હળવદ રોડ ઉપર આવેલ ઘુંટુ ગામ નજીકથી પસાર થતી કેનાલમાંથી ત્રણેક દિવસ જૂની કોહવાઈ ગયેલ હાલતમાં યુવાનની લાશ મળી આવી હોય ગામના સરપંચ દ્વારા તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવી હતી અને તાલુકા પોલીસ દ્વારા અજાણ્યા મૃતકની ઓળખ મેળવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી અને હાલમાં તેની ઓળખ મળી ગયેલ છે અને મૃતકના વાલી વારસ આવી જતાં તેને મૃતદેહ સોપી દેવામાં આવ્યો છે

મોરબી હળવદ રોડ ઉપર આવેલા ઘુંટુ ગામના માજી સરપંચ દેવજીભાઈ પરેચા દ્વારા ફોન કરીને મોરબી તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કેઘુંટુ ગામથી ઉંચી માંડલ તરફ જતા રસ્તે આવેલ કેનાલની અંદર એક અજાણ્યા આશરે ૩૦ થી ૩૫ વર્ષના યુવાનની કોહવાઈ ગયેલ હાલતમાં લાશ પડેલ છે જેથી બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ મેથકના જે.પી.વસીયાણીએ સ્થળ ઉપર પહોંચીને મૃતદેહનું પંચનામું કર્યા બાદ લાશ કોહવાઈ ગયેલી હાલતમાં હોય હાલ ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.વધુમાં મળતી માહિતી મુજબ કેનાલમાંથી આશરે પાંત્રીસેક વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જે યુવાનના એક હાથમાં 'દિલજ્યારે બીજા હાથમાં 'ઓમત્રોફાવેલ હોવાથી તેની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરી હતી અને દરમ્યાન મૃતક યુવાન મુકેશ જુવાનસિંહ મંડલોય જાતે આદીવાસી (૩૫) રહે. હાલ ફલેશ સીરામીકના કારખાનાના લેબર કવાર્ટર ઉચી માંડલ મુળ રહે. નવાપાડા લાલુ ફળીયા જિલ્લો જાબુઆ (એમ.પી) વાળો હોવાનું સામે આવ્યું હતું અને તેના મૃતદેહને રાજેશભાઇ ધનસિંહ જામોત (૨૮) રહે. હાલ ઉચી માંડલ ગામની સીમ એકોર્ડ સ્લેબ સીરામીકના લેબર કવાર્ટર વાળાને સોપી દેવામાં આવેલ છે તેવી તપાસનીશ અધિકારી જે.પી. વસિયાણી પાસેથી જાણવા મળેલ છે






Latest News