મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો મોરબી આઇટીઆઇની મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ વિશેષ મુલાકાત લીધી મોરબી જિલ્લામાં આગામી રવિ, સોમ અને મંગળવારે રાષ્ટ્રીય પોલિયો ઝુંબેશ અંતર્ગત ૧.૨૧ લાખથી વધુ બાળકો પીવડાવાશે પોલિયોના ટીપાં મોરબીમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવા પાંચ દિવસીય મહિલા વૃત્તીકા તાલીમ યોજાઇ મોરબી કલેક્ટર કચેરી ખાતે કરાર આધારિત કાયદા સલાહકારની ભરતી કરાશે મોરબીમાં મહેન્દ્રનગર ગામે પ્રાથમિક શાળામાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ નજીક કેનાલમાંથી મળેલ યુવાનની લાશની ઓળખ મળી


SHARE











મોરબીના ઘુંટુ નજીક કેનાલમાંથી મળેલ યુવાનની લાશની ઓળખ મળી

મોરબી હળવદ રોડ ઉપર આવેલ ઘુંટુ ગામ નજીકથી પસાર થતી કેનાલમાંથી ત્રણેક દિવસ જૂની કોહવાઈ ગયેલ હાલતમાં યુવાનની લાશ મળી આવી હોય ગામના સરપંચ દ્વારા તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવી હતી અને તાલુકા પોલીસ દ્વારા અજાણ્યા મૃતકની ઓળખ મેળવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી અને હાલમાં તેની ઓળખ મળી ગયેલ છે અને મૃતકના વાલી વારસ આવી જતાં તેને મૃતદેહ સોપી દેવામાં આવ્યો છે

મોરબી હળવદ રોડ ઉપર આવેલા ઘુંટુ ગામના માજી સરપંચ દેવજીભાઈ પરેચા દ્વારા ફોન કરીને મોરબી તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કેઘુંટુ ગામથી ઉંચી માંડલ તરફ જતા રસ્તે આવેલ કેનાલની અંદર એક અજાણ્યા આશરે ૩૦ થી ૩૫ વર્ષના યુવાનની કોહવાઈ ગયેલ હાલતમાં લાશ પડેલ છે જેથી બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ મેથકના જે.પી.વસીયાણીએ સ્થળ ઉપર પહોંચીને મૃતદેહનું પંચનામું કર્યા બાદ લાશ કોહવાઈ ગયેલી હાલતમાં હોય હાલ ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.વધુમાં મળતી માહિતી મુજબ કેનાલમાંથી આશરે પાંત્રીસેક વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જે યુવાનના એક હાથમાં 'દિલજ્યારે બીજા હાથમાં 'ઓમત્રોફાવેલ હોવાથી તેની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરી હતી અને દરમ્યાન મૃતક યુવાન મુકેશ જુવાનસિંહ મંડલોય જાતે આદીવાસી (૩૫) રહે. હાલ ફલેશ સીરામીકના કારખાનાના લેબર કવાર્ટર ઉચી માંડલ મુળ રહે. નવાપાડા લાલુ ફળીયા જિલ્લો જાબુઆ (એમ.પી) વાળો હોવાનું સામે આવ્યું હતું અને તેના મૃતદેહને રાજેશભાઇ ધનસિંહ જામોત (૨૮) રહે. હાલ ઉચી માંડલ ગામની સીમ એકોર્ડ સ્લેબ સીરામીકના લેબર કવાર્ટર વાળાને સોપી દેવામાં આવેલ છે તેવી તપાસનીશ અધિકારી જે.પી. વસિયાણી પાસેથી જાણવા મળેલ છે






Latest News