હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન
Breaking news
Morbi Today

પોલીસનો ડર કયાં..?! : મોરબીમાં રિક્ષા સાઈડમાં લેવાનું કહેતા આધેડ ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો


SHARE











પોલીસનો ડર કયાં..?! : મોરબીમાં રિક્ષા સાઈડમાં લેવાનું કહેતા આધેડ ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કારીયા સોસાયટી પાસે છકડો રીક્ષા સાઈડમાં લેવાનું કહેતા આધેડ ઉપર ત્રણ શખ્સો દ્વારા ઢીકાપાટુ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને માર મારવામાં આવ્યો હતો જેથી ભોગ બનેલ આધેડ દ્વારા સારવાર લીધા બાદ ત્રણ સામે ફરિયાદ નોંધાવવામાં આવતા એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કારીયા સોસાયટીમાં રહેતા ભરતભાઈ બટુકદાસ રામાનુજ જાતે બાવાજી નામના ૫૦ વર્ષના આધેડને મારામારીના બનાવમાં ઇજા પહોંચતા તેઓને સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ તેઓએ મોરબી એ ડિવિઝન પોલીસ મથક ખાતે સાગર સોમભાઈ દેલવાડીયા જાતે દેવીપુજક રહે.કારીયા સોસાયટી વાવડી રોડ, છકડો રીક્ષા નંબર જીજે ૧૩ એટી ૨૪૬ નો ચાલક તેમજ એક અજાણ્યો ઈસમ એમ ત્રણની સામે ફરિયાદ નોંધાવ જણાવ્યું હતું કે તેઓએ સામેવાળાઓને રીક્ષા સાઈડમાં લેવાનું કહ્યું હતું જેથી સામેવાળાઓએ તેઓ સાથે ઝઘડો કર્યો હતો અને બાદમાં ઠીકાપાટુ વડે મૂઢમાર માર્યો હતો હાલ ફરિયાદ સંદર્ભે એ ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ એ.એમ.જાપડીયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર આવેલા શોભેશ્વર રોડ ખાતે રહેતા આરીફ અબ્દુલભાઈ મૌવા નામના ૨૨ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઇજા થતા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો સારવાર કર્યા બાદ હોસ્પિટલ સુત્રો તરફથી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તેમાં ખુલ્યું હતું કે, આરીફ અબ્દુલભાઈ નામનો યુવાન મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ કુબેર ટોકીઝ નજીક રોડની સાઈડમાં ઉભો હતો ત્યારે ત્યાંથી મોરબીના વીસીપરામાં રહેતા અજય દેવીપુજક નામનો શખ્સ ટ્રેક્ટર લઈને નીકળ્યો હતો અને ત્યારે કોઇ બાબતે બંને વચ્ચે બોલાચાલી ઝઘડો થયો હતો અને તેમાં થયેલ મારામારીમાં ઈજા થતા આરીફને સારવાર ખસેડવામાં આવ્યો હતો.






Latest News