હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન
Breaking news
Morbi Today

મચ્છરનો સ્પ્રે વાપરતા પહેલા સાવધાન: મોરબીમાં સ્પ્રે બાદ બંધ કરેલ રૂમમાં ગેસ ચાલુ કરતાં લાગી આગ: ત્રણ વ્યક્તિ દાઝ્યા


SHARE











મચ્છરનો સ્પ્રે વાપરતા પહેલા સાવધાન: મોરબીમાં સ્પ્રે બાદ બંધ કરેલ રૂમમાં ગેસ ચાલુ કરતાં લાગી આગ: ત્રણ વ્યક્તિ દાઝ્યા

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક યુનિટમાં લેબર કવાર્ટરમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો જેમાં દાઝી ગયેલા ત્રણ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા છે અને આ યુવાનો જે રૂમમાં રહેતા હતા તેમાં મચ્છર માટેનો સ્પ્રે કરવામાં આવ્યો હતો બાદમાં ગેસ ચાલુ કરવામાં આવતા રૂમની અંદર આગ લાગી હતી અને જેમાં આ ત્રણ યુવાન દાજી જતાં સારવારમાં ખસેડાયા છે અને એક મજૂરે બીજા મળેથી નીચે કૂદકો મારતા તેને ઇજા થતાં સારવારમાં લઈને આવ્યા છે

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ મેટ્રો પોલો સીરામીક યુનિટની અંદર સ્ટાફ કવાર્ટરમાં રહેતા બિરજુ વિશ્વાસ (૨૫), સરોજ કમલ સંગા (૨૫) અને પુરોનજીત પૂરના પલોઈ (૨૬) નામના ત્રણ મજૂરો કવાર્ટરમાં હતા અને ત્યાં આગ લગતા દાઝી જવાથી તેને સારવાર માટે આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા અને પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે રસોઈ બનાવતા સમયે આકસ્મિક રીતે રૂમમાં આગ લાગતા હાથે પગે અને શરીરને દાઝી ગયેલ હાલતમાં ત્રણેયને સારવારમાં ખસેડાયા આવ્યા છે આ બનાવ તપાસ તાલુકા પોલીસ મથકના જે.પી. વસિયાણી દ્વારા કરવામાં આવી હતી જેથી તેની સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતું કે, લેબર કવાર્ટરમાં વધુ મજૂરો સાથે રહેતા હોય છે અને મજૂરો રૂમમાં મચ્છર મારવા માટે મચ્છર મારવાનો સ્પ્રે વપરાતા હોય છે આવી જ રીતે આ લોકોના રૂમમાં મચ્છર મારવાનો સ્પ્રે માર્યા બાદ રૂમ બંધ હતો અને બાદમાં નાઈટ શિફ્ટ કરીને આવેલા અન્ય મજૂરે રૂમ ખોલીને રસોઈ બનાવવા ગેસનો ચૂલો ચાલુ કરતા રૂમની અંદર આગ લાગી હતી અને ત્રણ ત્રણ મજૂરો હાથે પગે અને શરીરના દાજી ગયા હોય ત્રણેયને આયુષ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા.

અકસ્માતમાં ઇજા

મોરબીના માળિયા મીયાણાથી આગળ સૂરજબારી અને સામખયારી વચ્ચે ટોલનાકા નજીક વાહન અકસ્માતમાં બનાવ બન્યો હતો. જે બનાવમાં બાઈકમાં જઈ રહેલ ઇમ્તિયાઝ નિસારઅહેમદ સંઘવાણી (૧૮) અને મહંમદ હનીફભાઇ ભટ્ટી (૨૫) રહે. બંને માળિયા મીયાણા વાળાઓને ઈજા પહોંચી હતી આ બંને યુવાન મોટરસાયકલ લઈને સુરજબારી અને સામખયારી વચ્ચેથી જતા હતા ત્યારે ટોલનાકા પાસે તેઓને અકસ્માતના બનાવવામાં ઇજાઓ પહોંચતા બંનેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા અહીં એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ કરી બનાવ સંદર્ભે માળિયા પોલીસને જાણ કરવામાં આવી હતી અને આગળ જતાં બાઈકના ચાલકે બ્રેક કરતાં પાછળ આવી રહેલ આ યુવાનોએ તેના બાઇકને બ્રેક કરી હતી જેથી બાઇક સ્લીપ થઈ જતાં ત બંને યુવાનને ઇજા થયેલ છે






Latest News