હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન
Breaking news
Morbi Today

મોરબી તાલુકા ભાજપના પ્રમુખે દસ્તાવેજ નોંધાણીનો સમય વધારવા કલેક્ટરને કરી રજૂઆત


SHARE











મોરબી તાલુકા ભાજપના પ્રમુખે દસ્તાવેજ નોંધાણીનો સમય વધારવા કલેક્ટરને કરી રજૂઆત

મોરબીમાં સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે દસ્તાવેજ નોંધણીનું કામગીરીમાં લોકોનો ધસારો હોય છે અને આગામી તા ૧૫ એપ્રિલથી બમણી જંત્રી લાગુ થઈ રહી છે ત્યારે જૂની જંત્રી મુજબ લોકો તેની મિલકતના દસ્તાવેજ કરાવી શકે તેના માટે મોરબીની સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધાણીના સમયમાં વધારો કરવામાં આવે તેના માટે મોરબી તાલુકા ભાજપના પ્રમુખ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે

મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઇ વસાદડીયાએ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જાનવ્યું છે કે, સરકારે જંત્રીના દરમાં બમણો વધારો કરેલ છે જે આગામી ૧૫ એપ્રિલથી અમલમાં આવે છે તે પહેલા જુના જંત્રી દરથી જમીન મકાનના દસ્તાવેજ કરવા માટે લોકો મોરબીની સબ રજીસ્ટ્રાર કચેરીએ આવી રહ્યા છે ત્યારે દસ્તાવેજ નોંધણીના સમયમાં વધારો કરવામાં આવે તો વધુમાં વધુ મિલકત ધારકોને તેનો લાભ મળી શકે તેમ છે તેમજ દસ્તાવેજના કામ માટે આવતા લોકો માટે મોરબીની સબ રજિસ્ટ્રાર કચેરીમાં બેસવા અને પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ રજૂઆત કરી છે






Latest News