મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં અગાઉ કરેલી ફરિયાદનો રોષ રાખીને પરિણિતાને અપશબ્દો કહી તેના પતિને જાનથી મારી નાંખવાની ધમકી


SHARE







મોરબીમાં અગાઉ કરેલી ફરિયાદનો રોષ રાખીને પરિણિતાને અપશબ્દો કહી તેના પતિને જાનથી મારી નાંખવાની ધમકી

મોરબીના વીસીપરામાં રહેતી મહિલાના ઘરે જઈને એક ઇસમ દ્વારા મહિલાને ધમકી આપીને ગાળો આપવામાં આવી હતી અને મહિલાએ અગાઉ કરેલી ફરિયાદનો રોષ રાખીને તે શખ્સ દ્વારા મહિલાના પતિને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવેલ હોય ભોગ બનેલ મહિલા દ્વારા હાલમાં સીટી બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસ દ્વારા આ અંગે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

મોરબીના વીસીપરા વિસ્તારમાં પ્રજાપત નળીયાના કારખાના પાસે રહેતી રાજેશ્વરીબેન ધર્મેશભાઈ જગદીશભાઈ મેર જાતે કોળી નામની ૨૫ વર્ષની પરિણિતાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે તોફિક ઉર્ફે તોફલો ઈબ્રાહીમ ચાનિયા રહે.કાલિકા પ્લોટ પરસોતમ ચોક પાસે મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેણી ઘરે હતી ત્યારે સામેવાળો તોફીક ચાનીયા તેઓના ઘરે આવ્યો હતો અને રાજેશ્વરીબેને અગાઉ કરેલી ફરિયાદનો રોષ રાખીને તેણીને ગાળો આપી હતી અને બાદમાં ફરિયાદી રાજેશ્વરીબેનના પતિ ધર્મેશ જગદીશ મેરને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી હાલ રાજેશ્વરીબેન મેરની ફરિયાદ ઉપરથી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા તોફીક ઈબ્રાહીમ ચાનીયા સામે આઇપીસી કલમ ૫૦૪, ૫૦૬(૨) ધમકી આપવા સબબ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

વાહન અકસ્માતના બનાવમાં સગીરને ઈજા

મોરબીના સામાકાંઠાના રહેવાસી હર્ષવર્ધનસિંહ ગિરિરાજસિંહ રાણા નામના ૧૫ વર્ષીય સગીરને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચતા અત્રે ડોક્ટર હેમલ પટેલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલ તરફથી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી અને તેમાં પોલીસને જણાવવામાં આવ્યું હતું કે, હર્ષવર્ધનસિંહ રાણા કામ સબબ ઘરેથી બહાર નીકળીને બાઈકમાં બેસી બજારમાં જતો હતો ત્યારે ગુજરાત હાઉસિંગ બોર્ડ રામેશ્વર મહાદેવ મંદિર પાસે સામાકાંઠે તે વાહનમાંથી પડી જતા ડાબા હાથના ભાગે ઇજાઓ પહોંચી હતી જેથી તેને સારવાર માટે લાવવામાં આવેલ છે હાલ બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા નોંધ કરીને આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News