વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં અગાઉ કરેલી ફરિયાદનો રોષ રાખીને પરિણિતાને અપશબ્દો કહી તેના પતિને જાનથી મારી નાંખવાની ધમકી


SHARE











મોરબીમાં અગાઉ કરેલી ફરિયાદનો રોષ રાખીને પરિણિતાને અપશબ્દો કહી તેના પતિને જાનથી મારી નાંખવાની ધમકી

મોરબીના વીસીપરામાં રહેતી મહિલાના ઘરે જઈને એક ઇસમ દ્વારા મહિલાને ધમકી આપીને ગાળો આપવામાં આવી હતી અને મહિલાએ અગાઉ કરેલી ફરિયાદનો રોષ રાખીને તે શખ્સ દ્વારા મહિલાના પતિને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવેલ હોય ભોગ બનેલ મહિલા દ્વારા હાલમાં સીટી બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસ દ્વારા આ અંગે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

મોરબીના વીસીપરા વિસ્તારમાં પ્રજાપત નળીયાના કારખાના પાસે રહેતી રાજેશ્વરીબેન ધર્મેશભાઈ જગદીશભાઈ મેર જાતે કોળી નામની ૨૫ વર્ષની પરિણિતાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે તોફિક ઉર્ફે તોફલો ઈબ્રાહીમ ચાનિયા રહે.કાલિકા પ્લોટ પરસોતમ ચોક પાસે મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેણી ઘરે હતી ત્યારે સામેવાળો તોફીક ચાનીયા તેઓના ઘરે આવ્યો હતો અને રાજેશ્વરીબેને અગાઉ કરેલી ફરિયાદનો રોષ રાખીને તેણીને ગાળો આપી હતી અને બાદમાં ફરિયાદી રાજેશ્વરીબેનના પતિ ધર્મેશ જગદીશ મેરને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી હાલ રાજેશ્વરીબેન મેરની ફરિયાદ ઉપરથી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા તોફીક ઈબ્રાહીમ ચાનીયા સામે આઇપીસી કલમ ૫૦૪, ૫૦૬(૨) ધમકી આપવા સબબ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

વાહન અકસ્માતના બનાવમાં સગીરને ઈજા

મોરબીના સામાકાંઠાના રહેવાસી હર્ષવર્ધનસિંહ ગિરિરાજસિંહ રાણા નામના ૧૫ વર્ષીય સગીરને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચતા અત્રે ડોક્ટર હેમલ પટેલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલ તરફથી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી અને તેમાં પોલીસને જણાવવામાં આવ્યું હતું કે, હર્ષવર્ધનસિંહ રાણા કામ સબબ ઘરેથી બહાર નીકળીને બાઈકમાં બેસી બજારમાં જતો હતો ત્યારે ગુજરાત હાઉસિંગ બોર્ડ રામેશ્વર મહાદેવ મંદિર પાસે સામાકાંઠે તે વાહનમાંથી પડી જતા ડાબા હાથના ભાગે ઇજાઓ પહોંચી હતી જેથી તેને સારવાર માટે લાવવામાં આવેલ છે હાલ બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા નોંધ કરીને આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News