મોરબીના મોડપર ગામે હનુમાન જયંતિના દિવસે હનુમાન મંદિરે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો મોરબી જિલ્લામાં ત્રણ તાલુકાની 124 બેઠકો માટે ભાજપમાં 237 દાવેદાર: આજે બે તાલુકા પંચાયત, બે તાલુકાની જિલ્લા પંચાયતની બેઠકો અને એક પાલિકાની બેઠક માટે સેન્સ લેવાશે ગેસ કંપનીએ રોન કાઢી !: ગુજરાત ગેસ કંપનીએ મોરબીમાં સિરામિક ઉદ્યોગના કાયમી-આપદા સમયે આવેલ ગ્રાહકો માટે આપેલા ગેસના ભાવમાં જમીન આસમાનનો તફાવત હળવદના ભલગામડા-દીઘડીયા રોડે ડબલ સવારી બાઇક સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત ટંકારાના ઓટાળા ગામે ખેતરના શેઢાની જમીન માપણીના મનદુખમાં સામસામે મારા મારી: હવે બંને પક્ષેથી ફરિયાદ ટંકારાના લતીપર રોડે ટ્રક સાથે બાઇક અથડાતાં બાઇક ચાલકનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે બસમાંથી ઉતરીને રોડ ક્રોસ કરતાં બે મહિલા સહિત 4 પૈકીનાં 3 લોકોને કાર ચાલકે ઉડાવ્યા મોરબીમાં દેશી-વિદેશી દારૂની 3 રેડમાં 2.09 લાખથી વધુનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીમાં અગાઉ કરેલી ફરિયાદનો રોષ રાખીને પરિણિતાને અપશબ્દો કહી તેના પતિને જાનથી મારી નાંખવાની ધમકી


SHARE











મોરબીમાં અગાઉ કરેલી ફરિયાદનો રોષ રાખીને પરિણિતાને અપશબ્દો કહી તેના પતિને જાનથી મારી નાંખવાની ધમકી

મોરબીના વીસીપરામાં રહેતી મહિલાના ઘરે જઈને એક ઇસમ દ્વારા મહિલાને ધમકી આપીને ગાળો આપવામાં આવી હતી અને મહિલાએ અગાઉ કરેલી ફરિયાદનો રોષ રાખીને તે શખ્સ દ્વારા મહિલાના પતિને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવેલ હોય ભોગ બનેલ મહિલા દ્વારા હાલમાં સીટી બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસ દ્વારા આ અંગે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

મોરબીના વીસીપરા વિસ્તારમાં પ્રજાપત નળીયાના કારખાના પાસે રહેતી રાજેશ્વરીબેન ધર્મેશભાઈ જગદીશભાઈ મેર જાતે કોળી નામની ૨૫ વર્ષની પરિણિતાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે તોફિક ઉર્ફે તોફલો ઈબ્રાહીમ ચાનિયા રહે.કાલિકા પ્લોટ પરસોતમ ચોક પાસે મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેણી ઘરે હતી ત્યારે સામેવાળો તોફીક ચાનીયા તેઓના ઘરે આવ્યો હતો અને રાજેશ્વરીબેને અગાઉ કરેલી ફરિયાદનો રોષ રાખીને તેણીને ગાળો આપી હતી અને બાદમાં ફરિયાદી રાજેશ્વરીબેનના પતિ ધર્મેશ જગદીશ મેરને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી હાલ રાજેશ્વરીબેન મેરની ફરિયાદ ઉપરથી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા તોફીક ઈબ્રાહીમ ચાનીયા સામે આઇપીસી કલમ ૫૦૪, ૫૦૬(૨) ધમકી આપવા સબબ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

વાહન અકસ્માતના બનાવમાં સગીરને ઈજા

મોરબીના સામાકાંઠાના રહેવાસી હર્ષવર્ધનસિંહ ગિરિરાજસિંહ રાણા નામના ૧૫ વર્ષીય સગીરને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચતા અત્રે ડોક્ટર હેમલ પટેલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલ તરફથી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી અને તેમાં પોલીસને જણાવવામાં આવ્યું હતું કે, હર્ષવર્ધનસિંહ રાણા કામ સબબ ઘરેથી બહાર નીકળીને બાઈકમાં બેસી બજારમાં જતો હતો ત્યારે ગુજરાત હાઉસિંગ બોર્ડ રામેશ્વર મહાદેવ મંદિર પાસે સામાકાંઠે તે વાહનમાંથી પડી જતા ડાબા હાથના ભાગે ઇજાઓ પહોંચી હતી જેથી તેને સારવાર માટે લાવવામાં આવેલ છે હાલ બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા નોંધ કરીને આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News