મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી નજીક ખાનગી બસ ઉપર હુમલાના ગુનામાં પકડાયેલા આરોપીએ તેના જ ઘરમાં કેમ કર્યો આપઘાત ?


SHARE







મોરબી નજીક ખાનગી બસ ઉપર હુમલાના ગુનામાં પકડાયેલા આરોપીએ તેના જ ઘરમાં કેમ કર્યો આપઘાત ?

મોરબી હળવદ હાઇવે રોડ ઉપર ખાનગી બસ ઉપર હુમલી કરવામાં આવ્યો હતો તે ગુનામાં અગાઉ પકડાયેલ અને મોરબીના નીચી માંડલ ગામે રહેતા યુવાને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના પરિવારજનો દ્વારા તેની અંતિમ વિધિ કરી નાખવામાં આવી છે જો કે, આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને કોઈ જાણ કરવામાં આવી નથી જેથી અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે

મોરબી નજીકના પીપળી ગામેથી અમદાવાદ મામેરુ કરવા માટે ગયેલ પરિવાર થોડા દિવસો પહેલા રાત્રીના સમયે પરત આવી રહ્યો હતો ત્યારે ચરડવા ગામ પાસે ચા પીવા માટે ટ્રાવેલ્સને હોટલ પાસે ઉભી રાખવામાં આવી હતી ત્યારે ત્યાં કેટલાક શખ્સો ગાળો બોલતા હોય તેને ગાળો બોલવાની ના પાડી હતી ત્યારબાદ ત્યાં બોલાચાલી થઈ હતી અને રોષે ભરાયેલા આ શખ્સો દ્વારા બસનો પીછો કરીને બસને આંતરીને બસ ઉપર પથ્થર મારો કરીને હુમલો કરવામાં આવ્યો હતો જે ગુનામાં પોલીસે સાત આરોપીની ધરપકડ કરી હતી તે પૈકીનાં એક આરોપીએ તેના ઘરે આપઘાત કર્યો હોવાનું માહિતી સામે આવી રહી છે

હાલમાં સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નીચી માંડલ ગામે રહેતા વિજયભાઇ વશરામભાઇ બજાણીયાએ તેના જ ઘરની અંદર બુધવારે રાતે તેના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી ગઇકાલે તેના પરિવારજનો દ્વારા તેની અંતિમ વિધિ કરવામાં આવી હતી જો કે, આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને કોઈ જાણ કરવામાં આવી નથી તેવું પોલીસ સ્ટેશનેથી જાણવા મળ્યું છે અને યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો છે તેને લઈને હાલમાં નાના એવા ગામમાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે ત્યારે પોલીસે આગળ શું કાર્યવાહી કરશે તે જોવું રહ્યું છે






Latest News