મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીના સાપર નજીક કેનાલ પાસેથી અજાણ્યા યુવાનની લાશ મળી


SHARE











મોરબીના સાપર નજીક કેનાલ પાસેથી અજાણ્યા યુવાનની લાશ મળી

મોરબીના જેતપર રોડ ઉપર સાપર ગામની સીમમાં આવેલ પાવરીયાળી કેનાલ પાસેથી અજાણ્યા ૩૦ વર્ષના યુવાનની ડેડબોડી મળી આવી હતી જેથી તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ ઉપર આવેલ સાપર ગામની સીમમાં પાવળીયારી કેનાલ પાસે કોઈ અજાણ્યા ૩૦ વર્ષના યુવાનની ડેડબોડી પડી હતી જેથી કરીને ઈકબાલભાઈ ગુલામભાઈ તે ડેડબોડીને લઈને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા હતા અને આ અંગે સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાન કોણ છે..? તેની ઓળખ મેળવવા માટે થઈને હાલમાં મોરબી તાલુકા પોલીસ મથકના જે.બી.પરમાર દ્વારા આગળની તજવીજ કરવામાં આવી રહી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.

અકસ્માતમાં ઘવાયેલ યુવાનને સારવારમાં

મોરબીના સરતાનપર ગામ પાસે વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાનને મોરબી લાવવામાં આવ્યો હતો અને અહીં પ્રાથમિક સારવાર બાદ તેને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.મોરબી સીટી એ ડિવિઝન પોલીસસુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર સરતાનપર ગામ પાસે સરતાનપર ચોકડી નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઇજા પામેલ સરોજકુમાર શિવશંકર મહંતો નામના ૨૪ વર્ષના યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો અને અહીં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા પ્રાથમિક તપાસ કરી બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હોવાનું સૂત્રમાંથી જાણવા મળેલ છે





Latest News