મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

ટંકારાના સજજનપર ગામે ઘરમાં પડી ગયેલ મહિલાનું સારવાર દરમ્યાન મોત


SHARE







ટંકારાના સજજનપર ગામે ઘરમાં પડી ગયેલ મહિલાનું સારવાર દરમ્યાન મોત

ટંકારા તાલુકાના સજજનપર ગામે રહેતી મહિલા પોતાના ઘરે હતી ત્યારે તેને ચક્કર આવતા તે પડી ગઈ હતી જેથી તેને ઈજા થઈ હોવાથી પ્રથમ સારવાર માટે વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જોકે રાજકોટ ખાતે ચાલુ સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવી જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના સજજનપર ગામે રહેતા સવજીભાઈ વાઘેલા જાતે દેવીપુજકના પત્ની બદીબેન વાઘેલા (ઉમર ૪૫) પોતાના ઘરે હતા ત્યારે તેઓને ચક્કર આવતા તેઓ પડી ગયા હતા જેથી કરીને તેઓને તાત્કાલિક સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન બદીબેન વાઘેલાનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કર આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

દવા પી જતા યુવાન સારવારમાં

મોરબીના જેલ ચોક વિસ્તારની સામેના ભાગમાં રહેતા યુવાને ઝેરી દવા પી લેતા સારવાર માટે ખસેડાયો હતો મોરબી સિવિલ હોસ્પિટલ તરફથી એ ડિવિઝન પોલીસમાં જાણ કરી જણાવવામાં આવ્યું હતું કે, જેલ ચોકના સામેના ભાગે રહેતા નિલેશ જયેશભાઈ મકવાણા નામના ૨૩ વર્ષના યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી.જેથી હાલ તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવેલ છે. સિવિલ હોસ્પિટલમાંથી યાદી આવેલી હોય હાલ એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા બનાવની આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે કયા કારણોસર નિલેશ મકવાણાએ આ પગલું ભર્યું..? તે દિશામાં હાલ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે






Latest News