મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબી રેવન્યુ બાર એસો. દ્વારા દસ્તાવેજ નોંધાણીનો સમય વધારવા માંગ કરાઇ


SHARE











મોરબી રેવન્યુ બાર એસો. દ્વારા દસ્તાવેજ નોંધાણીનો સમય વધારવા માંગ કરાઇ

મોરબીમાં સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે દસ્તાવેજ નોંધણીનું કામગીરીમાં લોકોનો ધસારો હોય છે જો કે, દરેક નોંધણીમાં સ્લોટનો સમય ૧૦ મિનિટ હોવાથી તે સમયમાં ઘટાડો કરવામાં આવે અને સાંજે બે કલાક વધુ સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધાણીનું કામ ચાલુ રાખવામા આવે તેવી રેવન્યુ બાર એસો. દ્વારા રજુઆત કરવામાં આવી છે

મોરબી રેવન્યુ બાર એસો. પ્રમુખ પિયુષભાઈ રવેશીયાની આગેવાની હેઠળ સબ રજિસ્ટ્રાર કચેરીના નોંધણી નિરીક્ષકને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ  છે કે, આગામી ૧૫ એપ્રિલથી બમણા દરના નવા જંત્રી દર લાગુ થવાના છે જેથી જુના જંત્રી દરથી જમીન મકાનના દસ્તાવેજ કરવા માટે લોકો આવી રહ્યા હકે ત્યારે દસ્તાવેજ નોંધણીના સમયમાં વધારો કરવામાં આવે તેના માટે રજુઆત કરવામાં આવી હતી જેથી કરીને સવારે ૯થી ૧૦.૩૦ સુધી સ્લોટ વધારી આપવામાં આવેલ છે. જો કે, દસ્તાવેજ માટે લોકોનો વધુ ધસારો હોવાથી તા ૧૬ માર્ચથી ૧ એપ્રિલ સુધી ટોકન બુક થઈ ગયા છે આવી જ રીતે તા ૧૫ એપ્રિલ સુધી તમામ સ્લોટ બુક થઈ જશે તો ઘણા લોકો જુના જંત્રી દરથી જમીન અને મકાનના દસ્તાવેજની નોંધણી કરાવી શકશે નહીં જેથી કરીને દસ્તાવેજના સમયમાં વધારો કરવામાં આવે અને દરેક સ્લોટમાં પાંચ મિનિટનો સમય ઘટાડવામાં આવે તો લોકોનું કામ ઝડપથી થઈ શકે તેમ છે






Latest News