મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીની ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને આરોગ્ય મંત્રીના હસ્તે બેસ્ટ ઓર્થોપેડીક-ટ્રોમા કેર સેન્ટરનો એવોર્ડ એનાયત


SHARE











મોરબીની ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને આરોગ્ય મંત્રીના હસ્તે બેસ્ટ ઓર્થોપેડીક-ટ્રોમા કેર સેન્ટરનો એવોર્ડ એનાયત

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ખ્યાતનામ ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ખાનગી ચેનલ દ્વારા બેસ્ટ ઓર્થોપેડીક અને ટ્રોમા કેર સેન્ટરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે જે એવોર્ડ સેરેમનીમાં ડોક્ટર્સ ટીમમાં ડો. વિનોદ કૈલા, ડો.મયુર જાદવાણી, ડો.મનોજ કૈલા ઉપસ્થિત રહ્યાં હતાં.

આ એવોર્ડ સેરેમનીમાં ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, અમૂલ્ય માનવ જીવનને સુખી અને તંદુરસ્ત રાખવામાં ડોક્ટરોનો અમૂલ્ય ફાળો રહેલ છે અને ભગવાન પછીનો બીજો જો કોઈ અવતાર હોય તો તે ડોક્ટરોનો છે. ડોક્ટરોને બિરદાવતા વધુમાં જણાવ્યૂ હતું કે, આપણા દેશમાં ક્યારેય પણ મહામારી અથવા કોઈ સંકટ આવે ત્યારે ડોક્ટરો નિસ્વાર્થ ભાવે માનવસેવામાં હંમેશા તત્પર રહે છે. તાજેતરમાં જ કોરોનાને નાથવા માટે તેમજ અલગ અલગ વિસ્તારોમાં થયેલ ડિઝાસ્ટર જેવી કે મોરબી પુલ દુર્ઘટના વગેરેમા ડોક્ટરોનો સિંહ ફાળો રહેલ છે. અને આ તકે હું ડોક્ટરોની આ નિસ્વાર્થ સેવા ભાવનાને બિરદાવું છું અને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આવી જ સેવા ભવિષ્યમાં મળતી રહે તેવી અપેક્ષા રાખું છું

મોરબીની ક્રિષ્ના મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં ઓર્થોપેડિક અને ટ્રોમા કેર માટે તમામ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની ટીમ છે જેમાં ડો. વિનોદ કૈલા, ડો. પ્રહલાદ ઉઘરેજા, ડો. મયુર જાદવાણી, ડો. યોગેશ વઘાસિયા, ડો. પાર્થ કણસાગરા, ડો. મનોજ કૈલા, ડો. સાગર ખાનપરા, ડૉ રીધમ ખંડેરીયા, ડો. ચાંદની ખાનપરા, ડો. હાર્દિક ઘોડાસરાનો સમાવેશ થાય છે. અને આ ડોક્ટરોની એક્સપર્ટ ટ્રીટમેન્ટ દ્વારા ઓર્થોપેડિક ટ્રોમાને લગતી કોઈપણ પ્રકારની ઈજા અથવા તકલીફ હોય તો તેની એક જ સ્થળે સંપૂર્ણપણે સારવાર મળે છે જેવી કે હાડકાના તમામ જટિલ ફેકચર, વાહન અકસ્માત અને કારખાનામાં થતી ગંભીર ઇજાઓ, મણકાની ઈજાઓ તેમજ તમામ ઓપરેશનો,મગજ અને માથા ની કોઈપણ પ્રકારની ઈજા, હેમરેજ, મોઢા તથા જડબાની તમામ પ્રકારની ઈજા, પેટ અને  છાતીની ઈજાઓ, હાથ અને પગના કોઈ ભાગનું કપાઈ જવું  જેનું રિપ્લાન્ટેશન એટલે કે કપાઈ ગયેલા ભાગનું પ્રત્યારોપણ, કોઈપણ પ્રકારની નસ ની ઈજાઓ તેમજ સ્નાયુની ઇજાઓ અને તકલીફો, દૂરબીન થી થતા તાણીયાના એટલે કે લિગામેન્ટના તમામ ઓપરેશનો, રમતગમતમાં થતી તમામ ઇજાઓની સારવાર, હાડકા તથા સ્નાયુઓના તમામ પ્રકારના કેન્સરની સારવાર તેમજ ઓપરેશનો, સાંધો બદલવાના ઓપરેશનો (જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી) અને ના જોડાયેલા અથવા આડાઅવળા જોડાયેલા હાડકાની લિંબ સાલવેજ સર્જરી ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં થઈ શકે છે






Latest News