મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના જીનપરા હાઇવે રોડે વાહનમાં પેસેંજર ભરવા બાબતે મારા મારી: સામસામી ફરિયાદ


SHARE











વાંકાનેરના જીનપરા હાઇવે રોડે વાહનમાં પેસેંજર ભરવા બાબતે મારા મારી: સામસામી ફરિયાદ

વાંકાનેરના જીનપરા હાઇવે રોડ ઉપર વાહનમાં પેસેન્જર ભરવા બાબતે પેસેન્જર વાહન ચલાવતા બે વ્યક્તિઓ વચ્ચે બોલાચાલી થઈ હતી ત્યારબાદ ગાળા ગાળી થઈ હતી અને મારામારીનો બનાવ બન્યો હતો ત્યારે ભરવાડ યુવાનને હાથમાં છરી વડે ઇજા કરવામાં આવી હતી તો સામા પક્ષે આધેડને ઢીકા પાટુનો માર મારવામાં આવ્યો હતો જેથી બંને પક્ષેથી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે સામસામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના જેતપરડા ગામે રહેતા બાબુભાઈ મોનાભાઈ સરૈયા જાતે ભરવાડ (૨૨) હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે હુસેનભાઈ મહમદભાઈ પીપરવાડિયા અને ફેઝલ હુસેનભાઇ પીપરવાડિયા રહે. બંને વાંકાનેર જીનપરા શેરી નં-૧૩ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેને અને આરોપીને પેસેન્જર વાહનનો ધંધો હોવાથી પેસેન્જર ભરવા બાબતે વાંકાનેરના જીનપરા હાઇવે રોડ ઉપર બોલાચાલી થઈ હતી અને ત્યારે આરોપીઓએ તેને ભૂંડા બોલી ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો અને હુસેનભાઇ પીપરવાડીયાએ છરી વડે તેને ડાબા હાથના પંજામાં ઇજા કરી હતી જેથી કરીને ભોગ બનેલા બાબુભાઈ સરૈયાએ નોંધાવેલ ફરિયાદારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે તો સામા પક્ષેથી હુસેનભાઇ મહમદભાઈ પીપરવાડિયા જાતે પીંજારા (૫૦) એ બાબુભાઈ ભરવાડ, કરણભાઈ પ્રજાપતિ અને ૩ અજાણ્યા શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, પેસેન્જર ભરવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી ત્યારે આરોપીઓએ ભૂલા બોલી ગાળો આપીને ઢીકાપાટોનો માર માર્યો હતો અને બાબુભાઈ ભરવાડે હાથમાં પહેરેલ કડા વડે છાતીમાં ઇજા કરી હતી તો કરણભાઈ પ્રજાપતિ અને અન્ય ત્રણ માણસોએ ત્યાં આવીને તેને ઢિકાપાટુનો માર મારીને ઇજા કરી હતી જેથી હુસેનભાઇ પીપરવાડીયાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે પાંચ શખ્સોની સામે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News