મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેરના જીનપરા હાઇવે રોડે વાહનમાં પેસેંજર ભરવા બાબતે મારા મારી: સામસામી ફરિયાદ


SHARE











વાંકાનેરના જીનપરા હાઇવે રોડે વાહનમાં પેસેંજર ભરવા બાબતે મારા મારી: સામસામી ફરિયાદ

વાંકાનેરના જીનપરા હાઇવે રોડ ઉપર વાહનમાં પેસેન્જર ભરવા બાબતે પેસેન્જર વાહન ચલાવતા બે વ્યક્તિઓ વચ્ચે બોલાચાલી થઈ હતી ત્યારબાદ ગાળા ગાળી થઈ હતી અને મારામારીનો બનાવ બન્યો હતો ત્યારે ભરવાડ યુવાનને હાથમાં છરી વડે ઇજા કરવામાં આવી હતી તો સામા પક્ષે આધેડને ઢીકા પાટુનો માર મારવામાં આવ્યો હતો જેથી બંને પક્ષેથી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે સામસામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના જેતપરડા ગામે રહેતા બાબુભાઈ મોનાભાઈ સરૈયા જાતે ભરવાડ (૨૨) હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે હુસેનભાઈ મહમદભાઈ પીપરવાડિયા અને ફેઝલ હુસેનભાઇ પીપરવાડિયા રહે. બંને વાંકાનેર જીનપરા શેરી નં-૧૩ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેને અને આરોપીને પેસેન્જર વાહનનો ધંધો હોવાથી પેસેન્જર ભરવા બાબતે વાંકાનેરના જીનપરા હાઇવે રોડ ઉપર બોલાચાલી થઈ હતી અને ત્યારે આરોપીઓએ તેને ભૂંડા બોલી ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો અને હુસેનભાઇ પીપરવાડીયાએ છરી વડે તેને ડાબા હાથના પંજામાં ઇજા કરી હતી જેથી કરીને ભોગ બનેલા બાબુભાઈ સરૈયાએ નોંધાવેલ ફરિયાદારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે તો સામા પક્ષેથી હુસેનભાઇ મહમદભાઈ પીપરવાડિયા જાતે પીંજારા (૫૦) એ બાબુભાઈ ભરવાડ, કરણભાઈ પ્રજાપતિ અને ૩ અજાણ્યા શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, પેસેન્જર ભરવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી ત્યારે આરોપીઓએ ભૂલા બોલી ગાળો આપીને ઢીકાપાટોનો માર માર્યો હતો અને બાબુભાઈ ભરવાડે હાથમાં પહેરેલ કડા વડે છાતીમાં ઇજા કરી હતી તો કરણભાઈ પ્રજાપતિ અને અન્ય ત્રણ માણસોએ ત્યાં આવીને તેને ઢિકાપાટુનો માર મારીને ઇજા કરી હતી જેથી હુસેનભાઇ પીપરવાડીયાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે પાંચ શખ્સોની સામે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News