હળવદના જુના દેવળીયા ગામ પાસે નર્મદાની ધાંગધ્રા બ્રાન્ચ કેનાલના સાયફનમાં બાકોરનું પાડનાર અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો મોરબી નજીક કારખાનામાં એર કમ્પ્રેસરથી શરીરમાં હવા ભરી દેતા યુવાન સારવારમાં મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે ખુટીયા સાથે બાઇક અથડાતાં ઇજા પામેલા યુવાનનું મોત: બાઇક ચાલક સામે ગુનો નોંધાયો


SHARE











મોરબીના શનાળા રોડે ખુટીયા સાથે બાઇક અથડાતાં ઇજા પામેલા યુવાનનું મોત: બાઇક ચાલક સામે ગુનો નોંધાયો

મોરબીમાં નાસ્તો કરવા માટે આવેલા બે યુવાન શહેરના સનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશન પાસેથી જતાં હતા ત્યારે તેઓના બાઈકની આડે ખુટિયો ઉતરતા બાઇક ખુટીયાની સામે અથડાયું હતું જેથી કરીને બાઈક ઉપર જઈ રહેલા બંને યુવાનોને ઇજા થઈ હતી અને બે પૈકીના પાછળ બેઠેલા યુવાને માથામાં ગંભીર ઇજા થઈ હોવાથી સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી મૃતક યુવાનના પિતાએ હાલમાં બાઈક ચાલકની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ નવા જાંબુડીયા ગામે શક્તિપરા વિસ્તારમાં રહેતા દિનેશભાઈ અવચરભાઈ સાલાણી જાતે કોળી (૩૮)એ હાલમાં મોરબી શહેરમાં સર્કિટ હાઉસ સામે આવેલ મફતીયા પરામાં રહેતા સાહિલ જાહીરભાઈ નારેજાની સામે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓના ગામે રહેતા શેખુભાઈ ભુપતભાઈ વાઘેલાએ તેને ફોન કરીને જણાવ્યું હતું કે તેના દીકરાનું એક્સિડન્ટ થયું છે અને તેને માથામાં વાગી ગયું હોવાથી તેને ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા છે જેથી તેઓ પોતાની પત્ની અને ભાઈ સાથે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે આવ્યા હતા અને ત્યાં શેખુભાઈ ભુપતભાઈએ તેને જણાવ્યું હતું કે, તેઓ અલગ અલગ બાઈક લઈને મોરબીમાં નાસ્તો કરવા માટે થઈને આવ્યા હતા અને ત્યારે તેનો દીકરો અજય દિનેશભાઈ સાલાણી (૧૭) સાહિલ નારેજાના બાઈકમાં પાછળના ભાગે બેઠો હતો અને મોરબીના નવા બસ સ્ટેશન પાસેથી ગાંધી ચોક તરફ તેઓ બાઈક લઈને આવતા હતા ત્યારે તેઓના બાઇક આડે ખુટિયો ઉતર્યો હતો જેથી સાહિલનું બાઇકએ ખુટિયા સાથે અથડાયું હતું અને પાછળ બેઠેલ અજય ફૂટપાથને થાંભલા સાથે અથડાતા તેને માથામાં ગંભીર થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં બંનેને રીક્ષામાં બેસાડીને સારવાર માટે હોસ્પિટલો લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે અજયને અમદાવાદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે, સારવાર દરમિયાન અજય સાલાણીનું મોત નીપજ્યું હતું જેથી મૃતક યુવાનના પિતા દ્વારા હાલમાં સાહિલ જાહીરભાઈ નારેજાની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે શરૂ તજવીજ શરૂ કરેલ છે






Latest News