મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં આવેલ શાહબાવાની દરગાહમાંથી આઠ પંખાની ચોરી


SHARE











વાંકાનેરમાં આવેલ શાહબાવાની દરગાહમાંથી આઠ પંખાની ચોરી

વાંકાનેર શહેરમાં આવેલ શાહબાવાની દરગાહમાં મૂકવામાં આવેલ નાની મોટી સાઈઝના આઠ પંખાની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને આ ધાર્મિક જગ્યાના ટ્રસ્ટી દ્વારા હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ૭૦૦૦ રૂપિયાની કિંમતના આઠ પંખાની ચોરી થઈ હોવા અંગેની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ શાહબાવાની દરગાહના ચેરમેન વાંકાનેરના મામલતદાર છે અને અન્ય ટ્રસ્ટીઓનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે દરમિયાન શાહબાવાની દરગાહમાં મૂકવામાં આવેલા નાની મોટી સાઈઝના આઠ જેટલા પંખાઓની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને ૭૦૦૦ રૂપિયાની કિંમતના આઠ પંખાની ચોરી થઈ હતી અને આ ચોરી કરેલા પંખાને વાંકાનેરમાં જીનપરા જકાતનાકા રેલવે પુલ નીચેની બાજુ આવેલ ભંગારના ડેલા પાસે એક શખ્સ વેચવા માટે આવ્યો હતી અને ત્યાં વેચી ગયેલ હોય જે અંગેની ટ્રસ્ટીઓને જાણ થતા ટ્રસ્ટીઓ ત્યાં ભંગારના ડેલે પહોંચ્યા હતા અને ત્યાં દરગાહમાંથી ચોરી કરવામાં આવેલ પંખો મળી આવ્યો હતો જેથી ભંગારના ડેલે મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરાને ચેક કરવામાં આવતા આ પંખાને ભંગારના ડેલે આપવા સરફરાજ હુસેન ફકીર રહે. વાંકાનેર મીનારાશેરી વાળો આવ્યો હોવાનું જોવા મળ્યું હતું જેથી હાલમાં વાંકાનેરમાં લક્ષ્મીપરા આરડીસી બેંકની પાછળના ભાગમાં રહેતા મહમદભાઈ રહેમાનભાઈ રાઠોડ જાતે ઘાંચી (૭૫) દ્વારા તેની સામે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેથી કરીને પોલીસે સરફરાજ ફકીર સામે ગુનો નોંધીને તેને પકડવા માટે અને મુદ્દામાલને રિકવર કરવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News