મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્રની ટીમનો ટંકારાની ઑરપેટ કન્યા વિધાલયમાં કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્રની ટીમનો ટંકારાની ઑરપેટ કન્યા વિધાલયમાં કાર્યક્રમ યોજાયો

ટંકારાની ઓરપેટ કન્યા વિદ્યાલયમાં રચનાત્મક રીતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે મહિલા વૈજ્ઞાનિકોના પ્રોજેક્ટ, સાયન્સના અન્ય પ્રોજેક્ટનું પ્રદર્શન, બાંધણી બનાવવી અને થ્રીડી પ્રિન્ટર દ્વારા ગણપતિની મૂર્તિ બનાવવાનું નિદર્શન રાખવામાં આવ્યું હતું. ત્યારે આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબીના સંચાલક દીપેનભાઈ ભટ્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉજવણીના પ્રસંગે સંકટ નિવારણ એજ્યુકેશન ટ્રસ્ટના મંત્રી ધનજીભાઈ કાલરીયા, ઉપપ્રમુખ પંચાણભાઈ ભૂત, હીરાભાઈ ફેફર, કેમ્પસ ડાયરેક્ટર ગોપાલભાઈ રતનપરા, અન્ય ટ્રસ્ટીઓ, આચાર્યા અસ્મિતાબેન ગામી તથા સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા. અને આચાર્યાબેન તથા વિજ્ઞાન શિક્ષકોના માર્ગદર્શનથી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો






Latest News