મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતીદેવળી પાસે બાઇક સ્લીપ થતાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત


SHARE











વાંકાનેરના રાતીદેવળી પાસે બાઇક સ્લીપ થતાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત

વાંકાનેર નજીક આવેલ રાતીદેવળીથી તીથવા ગામ તરફ જવાના કાચા રસ્તા ઉપરથી યુવાન બાઇક લઈને જતો હતો ત્યારે બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને યુવાનને માથામાં ગંભીર ઇજા થયેલ હતી માટે તેને સારવારમાં અમદાવાદ સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત નહીં નીવડતા તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને અકસ્માત મૃત્યુના આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનની પત્નીની ફરિયાદ લઈને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના તીથવા ગામે કુબા વિસ્તારની અંદર રહેતા ધનજીભાઈ સોમાભાઈ મેસરિયા જાતે કોળી (૩૫) પોતાનું બાઈક લઈને ગત તા ૧૭/૧/૨૩ ના રોજ રાતીદેવળી થી તીથવા ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેનું બાઈક નંબર જીજે ૩૬ ડી ૯૮૯૩ સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને ધનજીભાઈ મેસરિયાને માથામાં ગંભીર ઇજા થયેલ હતી જેથી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી અકસ્માત મૃત્યુના આ બનાવ સંદર્ભે હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે મૃતક ધનજીભાઈ મેસરિયાના પત્ની કિરણબેન ધનજીભાઈ મેસરીયા (૨૭) રહે. તીથવા કુબા વિસ્તાર વાળાની ફરિયાદ લઈને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

જાહેરનામા ભંગ

વાંકાનેરના રાતીદેવડી રોડ ઉપર આવેલ યશદિપ સીરામીક નામના કારખાનામાં કામ કરતા પરપ્રાંતીય મજૂરોની માહિતી ઓનલાઇન એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવી ન હતી જેથી કરીને હાલમાં જયેન્દ્રસિંહ હરિસિંહ ઝાલા રહે. વૃંદાવન વાટિકા સોસાયટી વાંકાનેર વાળાની સામે જાહેરનામાના ભંગનો ગુનો નોંધી પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News