મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતીદેવળી પાસે બાઇક સ્લીપ થતાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત


SHARE











વાંકાનેરના રાતીદેવળી પાસે બાઇક સ્લીપ થતાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત

વાંકાનેર નજીક આવેલ રાતીદેવળીથી તીથવા ગામ તરફ જવાના કાચા રસ્તા ઉપરથી યુવાન બાઇક લઈને જતો હતો ત્યારે બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને યુવાનને માથામાં ગંભીર ઇજા થયેલ હતી માટે તેને સારવારમાં અમદાવાદ સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત નહીં નીવડતા તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને અકસ્માત મૃત્યુના આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનની પત્નીની ફરિયાદ લઈને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના તીથવા ગામે કુબા વિસ્તારની અંદર રહેતા ધનજીભાઈ સોમાભાઈ મેસરિયા જાતે કોળી (૩૫) પોતાનું બાઈક લઈને ગત તા ૧૭/૧/૨૩ ના રોજ રાતીદેવળી થી તીથવા ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેનું બાઈક નંબર જીજે ૩૬ ડી ૯૮૯૩ સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને ધનજીભાઈ મેસરિયાને માથામાં ગંભીર ઇજા થયેલ હતી જેથી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી અકસ્માત મૃત્યુના આ બનાવ સંદર્ભે હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે મૃતક ધનજીભાઈ મેસરિયાના પત્ની કિરણબેન ધનજીભાઈ મેસરીયા (૨૭) રહે. તીથવા કુબા વિસ્તાર વાળાની ફરિયાદ લઈને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

જાહેરનામા ભંગ

વાંકાનેરના રાતીદેવડી રોડ ઉપર આવેલ યશદિપ સીરામીક નામના કારખાનામાં કામ કરતા પરપ્રાંતીય મજૂરોની માહિતી ઓનલાઇન એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવી ન હતી જેથી કરીને હાલમાં જયેન્દ્રસિંહ હરિસિંહ ઝાલા રહે. વૃંદાવન વાટિકા સોસાયટી વાંકાનેર વાળાની સામે જાહેરનામાના ભંગનો ગુનો નોંધી પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News