મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના નીચી માંડલ નજીક સીરામીક કારખાનામાં સીડી ઉપરથી નીચે પટકાતાં બાળકનું મોત


SHARE











મોરબીના નીચી માંડલ નજીક સીરામીક કારખાનામાં સીડી ઉપરથી નીચે પટકાતાં બાળકનું મોત

મોરબીના નીચી માંડલ ગામ પાસે આવેલ સીરામીક કારખાનામાં સીડી ઉપરથી નીચે પટકાતા માથામાં અને શરીરને ગંભીર થવાથી ચાર વર્ષના બાળકને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને ગયા હતા ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે જોઈ તપાસીને બાળકને મૃત જાહેર કરતા અકસ્માત મૃત્યુના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના હળવદ રોડ ઉપર આવેલ નીચી માંડલ ગામ પાસે મોન્ટેલો સિરામિક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા અનુજકુમાર યાદવનો ચાર વર્ષનો દીકરો અભી કારખાનામાં સીડી ઉપરથી નીચે પટકાયો હતો જેથી તેને માથામાં અને શરીર ઉપર ગંભીર ઈજા થઇ હોવાથી પ્રથમ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાંથી બેભાના હાલતમાં સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે ચાલુ સારવાર દરમિયાન તે બાળકનું મોત નીપજ્યું હતું જેથી અકસ્માત મૃત્યુના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે, કારખાનાની પ્રીમાઈસીસમાં બાળકો શ્રમિકોની સાથે ન જાય તેના માટે થઈને અવારનવાર કારખાનેદારોને સૂચનાઓ અધિકારીઓ તરફથી આપવામાં આવે છે જોકે કારખાનેદારો અને કોન્ટ્રાક્ટ રાખનારા કોન્ટ્રાક્ટરો દ્વારા તકેદારી રાખવામાં આવતી ન હોવાથી અવારનવાર કારખાનામાં શ્રમિકોના બાળકો અકસ્માતનો ભોગ બનતા હોય છે તે હક્કિત છે






Latest News