મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીમાં સાયન્ટિફિક પરિવારના સ્વ. નકુલભાઈ જયેશભાઈ વઘાડીયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો


SHARE











મોરબીમાં સાયન્ટિફિક પરિવારના સ્વ. નકુલભાઈ જયેશભાઈ વઘાડીયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો

ઘડિયાળ ઉદ્યોગનો મોરબીમાં પાયો નાખનાર સાયન્ટીફિક ક્લોક પરિવારના સ્વ. નકુલભાઈ જયેશભાઈ વઘાડિયા જાતે મિસ્ત્રી (૩૫) નું વાંકાનેર રેલ્વે સ્ટેશને થયેલ અકસ્માતમાં મૃત્યુ નીપજયું હતું જેથી કરીને સ્વ. નકુલભાઈના બેસણા સાથે શુક્રવારે મોરબીના આલાપ રોડ સાયન્ટીફિકની વાડી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે સાંજે ૪ થી ૬ બે કલાકમાં વઘાડિયા પરિવારના લોકો તેમજ સ્વ. નકુલભાઈના મિત્રો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું અને ૧૭૭ જેટલી રક્તની બોટલ એકત્રિત કરવામાં આવી હતી જે રકતની બોટલો મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સંસ્કાર ધામ બ્લડ બેન્ક ખાતે આપવામાં આવી છે તેવું વઘાડિયા પરિવાર પાસેથી જાણવા મળેલ છે






Latest News