મોરબી: રાપર-મણાબા વચ્ચે અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત ટંકારાના મોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ ઉજવાઇ મોરબીમાં ફાયરના વાહનોમાં ઝડપથી પાણી ભરી શકાય તે માટે નવા 5 પોઈન્ટની વ્યવસ્થા ઊભી કરાઇ મોરબીમાં નકલી દૂધ-નકલી પનીરનું વેચાણ થતું હોવાનું ગ્રાહક સુરક્ષા મંડળે કરી કમિશનરને રજૂઆત મોરબીમાં બાબા સાહેબ આંબેડકરજી-મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન મોરબી જીલ્લામાં 89 પોલીસ કર્મચારીઓની બદલી મોરબીના કેળવણી નિરીક્ષક શિક્ષણ વય નિવૃત થતા વિદાયમાન અપાયું મોરબીના મોડપર ગામે હનુમાન જયંતિના દિવસે હનુમાન મંદિરે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી રોટરી ક્લબ દ્વારા રવિવારે નિદાન કેમ્પનું આયોજન


SHARE











મોરબી રોટરી ક્લબ દ્વારા રવિવારે નિદાન કેમ્પનું આયોજન

આજની તારીખે સમગ્ર વિશ્વએ આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ અપનાવી છે. ત્યારે આગામી રવિવારે તા ૫ ના રોજ રોટરી કલબ મોરબી તથા રોટરી રીલીફ ટ્રસ્ટ મોરબી દ્વારા રવિવારે સ્વાસ્થ્ય મંગલ વૈદિક પરંપરાથી નિદાનકેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબીના શનાળા રોડ ઉપર જી.આઈ.ડી.સી. પાસે આવલે સંસ્કાર બ્લડ બેંક ખાતે સવારના ૧૦ થી સાંજના ૪ વાગ્યા સુધી આ કેમ્પ ચાલુ રહેશે અને તેમાં અમેરલીના પ્રખર વૈદ્ય જીજ્ઞેશભાઇ પટેલ દ્વારા દર્દીઓના જટીલ રોગોનું નાડી પરીક્ષણ કરીને નિદાન કરવામાં આવશે અને માર્ગદર્શન આપીને ઇલાજ કરવામાં આવશે આ કેમ્પમાં દર્દીઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવશે આ અંગે રોટરી કલબ મોરબીના પ્રમુખ અશોકભાઈ મહેતા અને મંત્રી રષેશભાઈ મહેતાએ જણાવ્યુ છે કે, જુના અને હઠીલા રોગની સારવાર માટે દર્દીએ કેમ્પનો લાભ લેવાની જરૂર છે ખાસ કરીને હાથપગ, ગોઠણ, કમરના મણકાને લગતી તકલીફ તથા વા ની તકલીફ, સાયટીકા, સોર્યાસીસ, સ્ત્રીરોગ, ડાયાબીટીસ જેવા રોગની સારવાર કોઇપણ જગ્યાએ લીધેલ હોય અને ફર્ક ન પડયો હોય તેઓએ આ કેમ્પની અચુક મુલાકાત લેવાણી જરૂર છે અને આ કેમ્પનો લાભ લેવા ઇચ્છતા દર્દીઓએ કેસ અશોકભાઈ મહેતા (૯૯૭૮૪ ૪૨૮૫૧), હરીશભાઈ શેઠ (૯૩૭૬૧ ૬૧૪૦૬), રષેશભાઈ મહેતા (૯૮૯૮૦ ૭૧૪૭૫) તથા (૬૩૫૬૩ ૫૧૧૧૫) નો સંપર્ક કરવાનો રહેશે






Latest News