વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ઘરે કેરોસીન છાંટીને કાંડી ચાંપી લેનારા વૃદ્ધનું સારવારમાં મોત


SHARE











વાંકાનેરમાં ઘરે કેરોસીન છાંટીને કાંડી ચાંપી લેનારા વૃદ્ધનું સારવારમાં મોત

વાંકાનેરની રોયલ પાર્ક સોસાયટીમાં રહેતા વૃધ્ધે પોતાની જાતે પોતાના ઘરની અંદર કેરોસીન છાંટીને કાંડી ચાપી લીધી હતી જેથી ગંભીર રીતે દાઝી ગયેલા વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા જો કે, સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરમાં આવેલ રોયલ પાર્ક સોસાયટીમાં રહેતા પરસોતમભાઈ નાથાભાઈ ચાવડા (૭૦) એ પોતાના ઘરની અંદર બપોરના સમયે કોઈ કારણોસર પોતાની જાતે પોતાના શરીર ઉપર કેરોસીન છાંટીને કાંડી ચાપી લીધી હતી જેથી પરસોતમભાઈ ચાવડા આખા શરીરને ગંભીર રીતે દાજી ગયા હતા માટે તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે પરષોત્તમભાઈના દીકરાની અગાઉ હત્યા કરવામાં આવી હતી અને તેની દીકરી પણ મૃત્યુ પામી છે જેથી કરીને તેની માનસિક સ્થિતિ બરાબર ન હોય તેઓએ પોતાની જાતે કેરોસીન છાંટીને અંતિમ પગલું ભર્યું છે તેવું મૃતકના કુટુંબીઓ પાસેથી જાણવા મળી રહ્યું છે

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના શનાળા રોડ ઉપર નવા બસ સ્ટેન્ડની સામે સરદાર પટેલ સ્ટેચ્યુ નજીક મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં ગોબીયાભાઈ સનાતનસિંહ નામના ૩૦ વર્ષના યુવાનને ઇજાઓ પહોંચતા અહિંની સિવિલે સારવાર માટે લવાયો હતો અહીં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.જ્યારે મોરબીના સબજેલ ચોકની સામે આવેલ બોરીચાવાસ વિસ્તારમાં રહેતો રાહુલ હીરાભાઈ ગજીયા નામનો ૩૩ વર્ષનો યુવાન પોતાની દુકાને જેલ ચોક ખાતેથી પોતાના ઘર તરફ બોરીચાવાસ વિસ્તારમાં જતો હતો ત્યારે તેનું બાઈક અન્ય વાહનની સાથે અથડાતા ઇજાઓ થતા તેને સારવાર માટે ખસેડાયો હતો.






Latest News