મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા પાસે કારખાનામાં માટીના હોપરમાં પડી જવાથી બાળકનું મોત: કારખાનેદારો સામે ગુનો નોંધાયો


SHARE











વાંકાનેરના ઢુવા પાસે કારખાનામાં માટીના હોપરમાં પડી જવાથી બાળકનું મોત: કારખાનેદારો સામે ગુનો નોંધાયો

વાંકાનેર તાલુકાના ઢુવા પાસે આવેલ સિગ્નેચર કારખાનામાં માટી ખાતામાં માટી ભરેલ હોપરમાં પડી જતા માટીમાં દટાઈ જવાથી સાત વર્ષના બાળકનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કારખાનાના માલિક સામે મૃતક બાળકના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ગુંગણ ગામે રહેતા અને હાલમાં વાંકાનેર તાલુકાની હદમાં ઢુવા ગામ પાસે આવેલ સિગ્નેચર સીરામીક નામના કારખાનામાં કામ કરતા અને લેબર કોલોનીમાં રહેતા સુનિલભાઈ ખીમજીભાઈ ગોહેલ (૩૪) એ હાલમાં સિગ્નેચર કારખાનાના માલિકો સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ગત તા ૧૯/૨ ના રોજ બપોરના ચારેક વાગ્યાના અરસામાં ફરિયાદીનો દીકરો કિસન સુનિલભાઈ ગોહેલ (૭) સિગ્નેચર કારખાનામાં રમતા રમતા માટી ખાતાના માટી ભરેલા હોપરમાં પડી જતા માટીમાં દટાઈ જવાથી તેનું મોત નીપજયું હતું જેથી મૃતક બાળકના પિતાએ કારખાનાના માલિકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૦૪ (અ) અને ૧૧૪ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News