મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા પાસે કારખાનામાં માટીના હોપરમાં પડી જવાથી બાળકનું મોત: કારખાનેદારો સામે ગુનો નોંધાયો


SHARE











વાંકાનેરના ઢુવા પાસે કારખાનામાં માટીના હોપરમાં પડી જવાથી બાળકનું મોત: કારખાનેદારો સામે ગુનો નોંધાયો

વાંકાનેર તાલુકાના ઢુવા પાસે આવેલ સિગ્નેચર કારખાનામાં માટી ખાતામાં માટી ભરેલ હોપરમાં પડી જતા માટીમાં દટાઈ જવાથી સાત વર્ષના બાળકનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કારખાનાના માલિક સામે મૃતક બાળકના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ગુંગણ ગામે રહેતા અને હાલમાં વાંકાનેર તાલુકાની હદમાં ઢુવા ગામ પાસે આવેલ સિગ્નેચર સીરામીક નામના કારખાનામાં કામ કરતા અને લેબર કોલોનીમાં રહેતા સુનિલભાઈ ખીમજીભાઈ ગોહેલ (૩૪) એ હાલમાં સિગ્નેચર કારખાનાના માલિકો સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ગત તા ૧૯/૨ ના રોજ બપોરના ચારેક વાગ્યાના અરસામાં ફરિયાદીનો દીકરો કિસન સુનિલભાઈ ગોહેલ (૭) સિગ્નેચર કારખાનામાં રમતા રમતા માટી ખાતાના માટી ભરેલા હોપરમાં પડી જતા માટીમાં દટાઈ જવાથી તેનું મોત નીપજયું હતું જેથી મૃતક બાળકના પિતાએ કારખાનાના માલિકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૦૪ (અ) અને ૧૧૪ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News