મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં અજાણ્યા શખ્સની પાછળ દોડવા જતા બીજા માળેથી પડી જતા યુવાન સારવારમાં


SHARE











મોરબીમાં અજાણ્યા શખ્સની પાછળ દોડવા જતા બીજા માળેથી પડી જતા યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ ઉપર અજાણ્યા વ્યક્તિને પકડવા જતા મકાનના બીજા માળેથી નીચે પડી ગયેલ યુવાનને સારવારમાં ખસેડાયો હતો.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સામાકાંઠે આવેલ વેજીટેબલ રોડ ઉપરના લાભનગર વિસ્તારમાં રહેતો સુરેન્દ્રસિંગ જગમોહનસિંઘ ચૌહાણ નામનો ૩૩ વર્ષનો યુવાન અજાણ્યા વ્યક્તિને પકડવા જતા સમયે મકાનના બીજા માળેથી નીચે પડી ગયો હતો જેથી કરીને તેને ઇજાઓ પહોંચતા સારવાર માટે શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે ખસેડાયો હતો.ત્યાંથી પોલીસને જાણ કરવામાં આવતા હાલ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે, મોડી રાત્રીના અજાણ્યો વ્યક્તિ છત ઉપર આવ્યો હોવાની શંકાએ સુરેન્દ્રસિંગ છત ઉપર ગયો હતો દરમિયાનમાં તે મકાનના બીજા માળેથી નીચે પડી જતા ઇજાઓ થવાથી સારવારમાં ખસેડાયો હતો.

મહિલા-આધેડ સારવારમાં

મોરબીના શાકમાર્કેટ નજીક આવેલ સિપાઇવાસ વિસ્તારની રહેવાસી શાહીનાબેન ઉર્વેઝભાઈ મીરા નામની ૪૧ વર્ષીય મહિલા પોતાના ઘરેથી પોતાના સંબંધીને ત્યાં જતી હતી ત્યારે રસ્તામાં સિપાઈવાસ નજીક આવેલા કુંધાણી નોવેલ્ટી નજીક તેનું વાહન સ્લીપ થઈ જતા ઇજાઓ પામતા શાહીનાબેનને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા અને બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરાતા વિપુલભાઈ ફુલતરીયા દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.જ્યારે હળવદ તાલુકાના રણમલપુર ગામના વતની દિનેશભાઈ ગોરધનભાઈ પટેલ નામના ૫૫ વર્ષના આધેડને ધણાદ અને રણમલપુર વચ્ચેથી જતા હતા ત્યારે નદીના નાળા પાસે તેઓનું બાઈક અકસ્માતે પલ્ટી મારી જતા ઇજાઓ પામતા દિનેશભાઈ પટેલને પણ સારવાર માટે અહીંની શિવમ હોસ્પિટલે ખસેડાયા હતા હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ કરવામાં આવેલી હોય બી ડિવિઝન પોલીસ દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News