મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબી સિરામીક ઉદ્યોગમાં વીજ વપરાશની પડતર નીચી લાવવા સાંસદે પવનચક્કી પ્રોજેકટ આડેથી ગ્રહણ હટાવ્યું


SHARE







મોરબી સિરામીક ઉદ્યોગમાં વીજ વપરાશની પડતર નીચી લાવવા સાંસદે પવનચક્કી પ્રોજેકટ આડેથી ગ્રહણ હટાવ્યું

મોરબી સિરામીક ઉદ્યોગકારો દ્વારા અહીની પ્રોડક્ટની ઉત્પાદન કિંમત નીચી લાવવા માટે પ્રયાસો કરવામાં આવે છે જેના ભાગરૂપે આગામી દિવસોમાં અમરેલી જિલ્લામાં પવનચક્કી અને સોલાર પ્રોજેક્ટ સાકાર કરવા માટેની તૈયારીઓ ચાલી રહી છે જો કે, વન વિભાગની એનઓસીને કારણે આ પ્રોજેક્ટમાં વિઘ્ન આવે તેવું હતું જેથી કરીને રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયાએ રજુઆત કરી હતી જેથી કરીને પ્રશ્ન ઉકેલાઈ ગયેલ છે તેવું મોરબી સિરામીક એસો.ના પ્રમુખે જણાવ્યુ છે

મોરબી સીરામિક એસો.ના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાએ માહિતી આપતા જણાવ્યુ છે કે, મોરબીના સિરામિક ઉદ્યોગમાં હાલમાં વીજ વપરાશ મોટા પ્રમાણમા થાય છે ત્યારે આ ઉદ્યોગ ચાઈના સાથે સીધો જ હરીફાઈમાં છે જેથી કરીને અહીની પ્રોડક્ટને સસ્તી બનાવવા માટે આગામી દિવસોમાં વિંડમીલ અને સોલાર પ્રોજેક્ટ સ્થાપવાનું આયોજન કરવામાં આવ્યું છે અને ગુજરાતનાં અમરેલી જીલ્લામા બન્ને પ્રોજેક્ટ સ્થાપવા માટે તૈયારીઓ ચાલુ છે ત્યારે વન વિભાગની એનઓસીનો પ્રશ્ન હતો જેના માટે મોરબીમાં રહેતા રાજકોટના સાસંદ મોહનભાઈ કુંડારીયાને રજુઆત કરી હતી જેથી કરીને વન વિભાગને ટેલિફોનિક સુચના આપતા તુરંત જ વન વિભાગે એનઓસી ઈશ્યુ કરી દીધી છે જેથી કરીને સીરામીક એસો. દ્વારા સાંસદ મોહનભાઈ કુંડારીયાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે અને પવનચક્કી પ્રોજેક્ટને સકારા કરીને સિરામિક ઉદ્યોગ માટે સસ્તો વીજ વિકલ્પ મળે તેવું કામ કરવામાં આવી રહ્યું છે તેવી લાગણી વ્યક્ત કરી હતી






Latest News