મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબી સિરામીક ઉદ્યોગમાં વીજ વપરાશની પડતર નીચી લાવવા સાંસદે પવનચક્કી પ્રોજેકટ આડેથી ગ્રહણ હટાવ્યું


SHARE











મોરબી સિરામીક ઉદ્યોગમાં વીજ વપરાશની પડતર નીચી લાવવા સાંસદે પવનચક્કી પ્રોજેકટ આડેથી ગ્રહણ હટાવ્યું

મોરબી સિરામીક ઉદ્યોગકારો દ્વારા અહીની પ્રોડક્ટની ઉત્પાદન કિંમત નીચી લાવવા માટે પ્રયાસો કરવામાં આવે છે જેના ભાગરૂપે આગામી દિવસોમાં અમરેલી જિલ્લામાં પવનચક્કી અને સોલાર પ્રોજેક્ટ સાકાર કરવા માટેની તૈયારીઓ ચાલી રહી છે જો કે, વન વિભાગની એનઓસીને કારણે આ પ્રોજેક્ટમાં વિઘ્ન આવે તેવું હતું જેથી કરીને રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયાએ રજુઆત કરી હતી જેથી કરીને પ્રશ્ન ઉકેલાઈ ગયેલ છે તેવું મોરબી સિરામીક એસો.ના પ્રમુખે જણાવ્યુ છે

મોરબી સીરામિક એસો.ના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાએ માહિતી આપતા જણાવ્યુ છે કે, મોરબીના સિરામિક ઉદ્યોગમાં હાલમાં વીજ વપરાશ મોટા પ્રમાણમા થાય છે ત્યારે આ ઉદ્યોગ ચાઈના સાથે સીધો જ હરીફાઈમાં છે જેથી કરીને અહીની પ્રોડક્ટને સસ્તી બનાવવા માટે આગામી દિવસોમાં વિંડમીલ અને સોલાર પ્રોજેક્ટ સ્થાપવાનું આયોજન કરવામાં આવ્યું છે અને ગુજરાતનાં અમરેલી જીલ્લામા બન્ને પ્રોજેક્ટ સ્થાપવા માટે તૈયારીઓ ચાલુ છે ત્યારે વન વિભાગની એનઓસીનો પ્રશ્ન હતો જેના માટે મોરબીમાં રહેતા રાજકોટના સાસંદ મોહનભાઈ કુંડારીયાને રજુઆત કરી હતી જેથી કરીને વન વિભાગને ટેલિફોનિક સુચના આપતા તુરંત જ વન વિભાગે એનઓસી ઈશ્યુ કરી દીધી છે જેથી કરીને સીરામીક એસો. દ્વારા સાંસદ મોહનભાઈ કુંડારીયાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે અને પવનચક્કી પ્રોજેક્ટને સકારા કરીને સિરામિક ઉદ્યોગ માટે સસ્તો વીજ વિકલ્પ મળે તેવું કામ કરવામાં આવી રહ્યું છે તેવી લાગણી વ્યક્ત કરી હતી






Latest News