મોરબી જિલ્લા પંચાયત, 5 તાલુકા પંચાયત અને 2 પાલિકાની 179 બેઠક માટે ભાજપમાં 580 દાવેદાર: કાલે મોરબી મહાપાલિકા-માળીયા (મી) પાલિકાની બેઠકો માટે સેન્સ લેવાશે મોરબી: રાપર-મણાબા વચ્ચે અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત ટંકારાના મોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ ઉજવાઇ મોરબીમાં ફાયરના વાહનોમાં ઝડપથી પાણી ભરી શકાય તે માટે નવા 5 પોઈન્ટની વ્યવસ્થા ઊભી કરાઇ મોરબીમાં નકલી દૂધ-નકલી પનીરનું વેચાણ થતું હોવાનું ગ્રાહક સુરક્ષા મંડળે કરી કમિશનરને રજૂઆત મોરબીમાં બાબા સાહેબ આંબેડકરજી-મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન મોરબી જીલ્લામાં 89 પોલીસ કર્મચારીઓની બદલી મોરબીના કેળવણી નિરીક્ષક શિક્ષણ વય નિવૃત થતા વિદાયમાન અપાયું
Breaking news
Morbi Today

રાજ્યમાં બ્રિજ કે મોટા સ્ટ્રક્ચરના ઇન્સ્પેક્શન માટે કોઈ ઓથોરીટી છે જ નહીં: મોરબીના ઝૂલતા પુલ કેસની વધુ સુનાવણી કાલે


SHARE











રાજ્યમાં બ્રિજ કે મોટા સ્ટ્રક્ચરના ઇન્સ્પેક્શન માટે કોઈ ઓથોરીટી છે જ નહીં: મોરબીના ઝૂલતા પુલ કેસની વધુ સુનાવણી કાલે

મોરબીમાં જુલતોપુલ તૂટી પડ્યો હતો તે બનાવને લઈને હાઇકોર્ટમાં સુઓમોટો કરવામાં આવી છે જેની સોમવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી ત્યારે ખાસ કરીને વર્તમાન સમયમાં રાજ્યની અંદર બ્રિજ કે પછી મોટા સ્ટ્રક્ચર માટે ઇન્સ્પેક્શન કરવાની કોઈ ફાઇનલ ઓથોરીટી નથી જેથી કરીને તેને લઈને ચર્ચા કરવામાં આવી હતી અને વધુ સુનાવણી બીજા દિવસે એટ્લે કે મંગળવારે રાખવામા આવેલ છે

મોરબીનો ઝુલતોપુલ ગત તા ૩૦/૧૦/૨૦૨૨ ના રોજ સાંજના સમયે તૂટી પડ્યો હતો જેથી કરીને ૧૩૫ લોકોના મોત નિપજ્યાં હતા આ બનાવને લઈને ગુજરાત હાઇકોર્ટમાં સૂઓમોટો દાખલ કરવામાં આવી હતી જેની સોમવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી ત્યારે સકારી વકીલે મોરબી પાલિકાને સુપરસીડ કરવા માટેની પ્રોસીજર ચાલુ છે તેવું જણાવ્યુ હતું તેમજ વર્તમાન સમયમાં રાજયમાં બ્રિજ કે પછી મોટા સ્ટ્રક્ચર માટે કોણ ઇન્સ્પેક્શન કરશે ?, કઈ ઓથોરિટીને કરવાનું ? કોણ તેના માટે જવાબદાર ? તે સહિતની ચર્ચા કરવામાં આવી હતી અને ત્યારે સરકારી વકીલે કહ્યું હતું કે, સામાન્ય રીતે ચોમાસા પહેલા અને પછીબ્રિજેને માર્ગ મકાન વિભાગ દ્વારા ચેક કરવામાં આવતા હોય છે જો કે, અર્બન ડેવલોપમેન્ટ વિભાગની કોઈ ચોક્કસ ગાઈડ લાઇન નથી જેથી કરીને આગામી દિવસોમાં રાજ્યની અંદર બ્રિજ કે પછી મોટા સ્ટ્રક્ચર માટે ઇન્સ્પેક્શન બાબતની પોલિસી માટેની ચર્ચા કરવામાં આવી હતી અને આ કેસની વધુ સુનાવણી તા ૨૧ ને મંગલવારે રાખવામા આવી છે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે






Latest News