મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

રાજ્યમાં બ્રિજ કે મોટા સ્ટ્રક્ચરના ઇન્સ્પેક્શન માટે કોઈ ઓથોરીટી છે જ નહીં: મોરબીના ઝૂલતા પુલ કેસની વધુ સુનાવણી કાલે


SHARE







રાજ્યમાં બ્રિજ કે મોટા સ્ટ્રક્ચરના ઇન્સ્પેક્શન માટે કોઈ ઓથોરીટી છે જ નહીં: મોરબીના ઝૂલતા પુલ કેસની વધુ સુનાવણી કાલે

મોરબીમાં જુલતોપુલ તૂટી પડ્યો હતો તે બનાવને લઈને હાઇકોર્ટમાં સુઓમોટો કરવામાં આવી છે જેની સોમવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી ત્યારે ખાસ કરીને વર્તમાન સમયમાં રાજ્યની અંદર બ્રિજ કે પછી મોટા સ્ટ્રક્ચર માટે ઇન્સ્પેક્શન કરવાની કોઈ ફાઇનલ ઓથોરીટી નથી જેથી કરીને તેને લઈને ચર્ચા કરવામાં આવી હતી અને વધુ સુનાવણી બીજા દિવસે એટ્લે કે મંગળવારે રાખવામા આવેલ છે

મોરબીનો ઝુલતોપુલ ગત તા ૩૦/૧૦/૨૦૨૨ ના રોજ સાંજના સમયે તૂટી પડ્યો હતો જેથી કરીને ૧૩૫ લોકોના મોત નિપજ્યાં હતા આ બનાવને લઈને ગુજરાત હાઇકોર્ટમાં સૂઓમોટો દાખલ કરવામાં આવી હતી જેની સોમવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી ત્યારે સકારી વકીલે મોરબી પાલિકાને સુપરસીડ કરવા માટેની પ્રોસીજર ચાલુ છે તેવું જણાવ્યુ હતું તેમજ વર્તમાન સમયમાં રાજયમાં બ્રિજ કે પછી મોટા સ્ટ્રક્ચર માટે કોણ ઇન્સ્પેક્શન કરશે ?, કઈ ઓથોરિટીને કરવાનું ? કોણ તેના માટે જવાબદાર ? તે સહિતની ચર્ચા કરવામાં આવી હતી અને ત્યારે સરકારી વકીલે કહ્યું હતું કે, સામાન્ય રીતે ચોમાસા પહેલા અને પછીબ્રિજેને માર્ગ મકાન વિભાગ દ્વારા ચેક કરવામાં આવતા હોય છે જો કે, અર્બન ડેવલોપમેન્ટ વિભાગની કોઈ ચોક્કસ ગાઈડ લાઇન નથી જેથી કરીને આગામી દિવસોમાં રાજ્યની અંદર બ્રિજ કે પછી મોટા સ્ટ્રક્ચર માટે ઇન્સ્પેક્શન બાબતની પોલિસી માટેની ચર્ચા કરવામાં આવી હતી અને આ કેસની વધુ સુનાવણી તા ૨૧ ને મંગલવારે રાખવામા આવી છે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે






Latest News