મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં લાઇટ બાબતે ચર્ચા કરવા ગયેલા વૃદ્ધને તેના મોટાભાઈએ માર મારતા મોત: હત્યાનો ગુનો નોંધાયો


SHARE











 

મોરબીમાં લાઇટ બાબતે ચર્ચા કરવા ગયેલા વૃદ્ધને તેના મોટાભાઈએ માર મારતા મોત: હત્યાનો ગુનો નોંધાયો

મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં સોઓરડીની બાજુમાં આવેલ ચામુંડા નગરમાં રહેતા વૃદ્ધ તેના મોટાભાઈના ઘરે લાઈટ બાબતે વાતચીત કરવા માટે ગયા હતા ત્યારે મોટાભાઈએ બોલાચાલી કરી તેને ઈંટના છુટા ઘા,  લોખંડના ફર્મા તથા લાકડા વડે માથામાં માર મારીને ગંભીર કરી હતી જેથી કરીને ઈજા પામેલા વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જો કે સારવાર કારગત ન નિવડતા તેની મોત નીપજયું હતું જેથી કરીને મૃતકના દીકરાએ હાલમાં તેના ભાઈજી સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હત્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી વીગત પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં સોઓરડીની બાજુમાં આવેલ ચામુંડા નગરમાં રહેતા પ્રકાશભાઈ પ્રેમજીભાઈ સોલંકી (૨૮) એ હાલમાં તેના ભાઈજી અમરશીભાઈ જેઠાભાઈ સોલંકીની સામે હત્યાની ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યુ છે કે, તેના પિતા પ્રેમજીભાઈ જેઠાભાઈ સોલંકી (૫૮)ને તેના મોટાભાઇ અમરશીભાઈ જેઠાભાઇ સોલંકી સાથે મકાનના પ્લોટના ભાગ બાબતે મનદુખ હોય અને લાઈટનું મીટર અમરશીભાઈના ઘરમાં છે જેથી ફરિયાદીના પિતા પ્રેમજીભાઈ તેઓના ઘરે લાઈટ બાબતે વાત કરવા માટે ગયા હતા ત્યારે અમરશીભાઈએ તેની સાથે બોલાચાલી કરીને ઇંટનો છૂટો ઘા મારીને તથા લોખંડના ફર્મા અને લાકડા વડે માથામાં માર મારીને ઇજાઓ કરી હતી જેથી કરીને ઈજા પામેલા પ્રેમજીભાઈ સોલંકીને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર કારગત નહીં નિવડતા તેનું મોત નીપજ્યું હતું જેથી હાલમાં મૃતક યુવાનના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઈપીસી કલમ ૩૦૨, ૩૩૮ અને ૫૦૪ મુજબ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News