મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા
Breaking news
Morbi Today

મોરબીમાં કરિયાવર બાબતની માથાકૂટમાં એક જ પરિવારની ત્રણ મહિલા સારવારમાં


SHARE











મોરબીમાં કરિયાવર બાબતની માથાકૂટમાં એક જ પરિવારની ત્રણ મહિલા સારવારમાં

મોરબી તાલુકાના પીપળીયા ગામે પારિવારિક ઝઘડામાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં માઁ-દીકરી અને વહુ એમ એક જ પરિવારની ત્રણ મહિલાઓને ઇજા થતા સારવારમાં ખસેડાયા હતા અને પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં કરિયાવર બાબતેની બોલાચાલી દરમિયાન આ મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પીપળીયા ગામે રહેતા રફીનાબેન સલીમભાઈ ચાનીયા (ઉંમર ૫૦) અને તેમની દીકરી ફિરદોશબેન સલીમભાઈ ચાનીયા (ઉંમર ૨૬) ને મારામારીના બનાવમાં ઇજા થતા સિવિલે સારવાર માટે લવાયા હતા અને સામેના પક્ષેથી રફીનાબેનના વહુ રૂકૈયાબેન કાદરભાઈ ચાનીયા (ઉંમર ૨૯) ને પણ મારામારીના બનાવમાં ઇજા પહોંચી હોય તેણીને પણ સિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી બનાવ અંગે તાલુકા પોલીસને જાણ કરવામાં આવેલી હોય તાલુકા પોલીસ મથકના આઈ.એમ.અજમેરીએ તપાસ શરૂ કરી હતી અને તેઓએ કરેલી પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું કે કરિયાવર બાબતે રૂકૈયાબેન સાથે બોલાચાલી ઝઘડો થયો હતો અને બાદમાં બંને પક્ષેથી સામસામે મારામારી થઈ હોવાની વાત હાલ સામે આવી છે જે અંગે આગળની તપાસ ચાલુ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી તાલુકાના માણેકવાડા ગામે રહેતા રજનીભાઈ પરસોતમભાઈ દેત્રોજા નામના ૪૪ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઈજા થતા અત્રેની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના આઈ.એમ.અજમેરીએ તપાસ હાથ ધરી હતી જેમાં ખુલ્યું હતું કે તે મોરબી આવ્યો હતો અને બગથળાથી પરત માણેકવાડા જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઈક પલ્ટી મારી જતા ઇજાઓ થવાથી તેને સારવારમાં ખસેડાયો હતો.






Latest News