મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

ગુજરાતમાં નવા મંત્રીઓ-ચેરમેન તથા ડીરેકટરોની નિમણુક થાય તો લોકોના કામો ઝડપથી થાય : પી.પી.જોષી


SHARE











ગુજરાતમાં નવા મંત્રીઓ-ચેરમેન તથા ડીરેકટરોની નિમણુક થાય તો લોકોના કામો ઝડપથી થાય : પી.પી.જોષી

મોરબીના જાગૃત નાગરિક અને અહીંના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પૂર્વ સલાહકાર પી.પી.જોશી દ્વારા રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યના પ્રદેશ ભાજપ પ્રમુખને પત્ર લખીને માંગ કરવામાં આવેલ છે કે જો ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવે અને નવા મંત્રીઓની તેમજ તે ઉપરાંત ચેરમેનો અને ડિરેક્ટરોની નિમણૂંક કરવામાં આવે તો લોકોના કામ ખૂબ ઝડપથી થઈ શકે તેમ છે અને પ્રજાને પડતી હાડમારી નિવારી શકાય તેમ છે માટે નવા મંત્રીઓ તેમજ ચેરમેનો અને ડિરેક્ટરોની નિમણૂંક કરવી જોઈએ.

તેઓએ કરેલ રજૂઆતમાં તેઓએ જણાવેલ છે કે હાલમાં ગુજરાતમાં મંત્રી મંડળનુ કદ ધણુ જ નાનુ છે આજે એક મંત્રી પાસે ત્રણથી ચાર ખાતાઓ આપવામાં આવેલ છે જેથી અરજદારોના કામો સમયસર થતા નથી અને લોકોને ગાંધીનગરના ધક્કા થાય છે.જો નવા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવે તો પ્રજાના પ્રશ્નોનો તુરંત નિકાલ થઈ શકે તેમ છે આજે જે મંત્રીઓ છે જેમને ખાતા આપવામાં આવેલ છે તેઓ રાત્રીના આઠ વાગ્યા સુધી કામ કરે છે અને તે પણ થાકી જાય છે છતા કામ ચાલુ રાખે જ છે.પરંતુ જો રાજય કક્ષાના મંત્રીઓની નિમણુંકો કરવામાં આવે તો હાલના મંત્રીઓનું કાર્યભારણ ઘટે અને પ્રજાના કામ સમયસર થાય તેવું મારૂ માનવુ છે તેમ પી.પી.જોષીએ જણાવેલ છે.તે ઉપરાંત જો ચેરમેન તથા ડીરેકટરોની પણ છેલ્લા પાંચ વર્ષથી અનેક જગ્યાઓ ખાલી પડેલ છે જો તે નિમણુંકો પણ કરવામાં આવે તો પણ આ પશ્ન હલ થાય તેમ છે.જો આ નિમણુંક કરવામાં આવે તો પણ મંત્રીઓનું કાર્યભારણ ધટે તેમ છે.આજે ગુજરાતની પ્રજાએ ભાજપને ધણી જ જંગી બહુમતી આપેલ છે છતાં પ્રજા હેરાન થાય છે તો નવા મંત્રી તથા ચેરમેન અને ડીરેકટરોની નિમણુક કરવામાં આવે તેવી માંગણી અહીંના પી.પી.જોષીએ કરેલ છે.






Latest News