તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેરની નર્સરી ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત


SHARE











વાંકાનેરની નર્સરી ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત


મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ નર્સરી ચોકડી પાસેથી યુવાન તેનું બાઇક લઈને પસાર થતો હતો ત્યારે તેણે પોતાના બાઈકના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી બાઇક ચાલક યુવાનને માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું હાલમાં મૃતક યુવાનની માતાની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલ કુકસીતલાવડી ગામનો રહેવાસી અને હાલમાં રાજકોટ તાલુકામાં ભુપતગઢ ગામે જયરાજભાઈ નરશીભાઈ રાઠોડની વાડીએ રહેતો અને મજૂરી કામ કરતો સુરેશભાઈ ચમારભાઇ વાસકેર જાતે આદિવાસી ભીલ (૨૮) નામનો યુવાન મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ નર્સરી ચોકડી પાસેથી તેનું બાઈક નં જીજે ૩ સીજી ૪૧૮૪ લઈને નીકળ્યો હતો ત્યારે તેણે પોતાના બાઈકના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી બાઈક ચાલક સુરેશભાઈને માથાના ભાગે અને શરીરે ગંભીર થયું હોવાથી તેનું મોત નીપજ્યું હતું હાલમાં અકસ્માત મૃત્યુના આ બનાવમાં પોલીસે મૃતક યુવાનની માતા નૂરીબેન ચમારભાઇ વાસકેર જાતે આદિવાસી (૫૦) રહે. હાલ મકનસર સરતાનપર રોડ વેલજીબાપાની ગૌશાળામાં મોરબી વાળીની ફરિયાદ લઈ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.


અકસ્માતમાં ઇજા
મોરબીના બાયપાસ રોડ ઉપર દલવાડી સર્કલ પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતો અને શાકભાજીનો ધંધો કરતો નવઘણભાઈ મનસુખભાઈ ભોજવીયા જાતે દેવીપુજક (૨૪) નામનો યુવાન મોરબીના સનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે બ્રિજ નીચેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અલ્ટો કાર નં. જીજે ૩ બીએ ૬૮૩૪ ના ચાલકે તેના એક્ટિવા નં. જીજે ૩૬ એબી ૩૨૩૨ ને હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં નવઘણભાઈને પગમાં ગંભીર ઈજા થઈ હતી અને એકટીવામાં નુકસાની થયેલ છે જેથી કરીને હાલમાં તેણે કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News