વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમી રહેલ છ પતાપ્રેમીઓની ધરપકડ


SHARE











વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમી રહેલ છ પતાપ્રેમીઓની ધરપકડ
 

વાંકાનેર પોલીસ મથકના સ્ટાફને મળેલ બાતમીના આધારે જાહેરમાં જુગાર રમી રહેલા છ લોકોની ધરપકડ કરવામાં આવેલ છે.

પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી દ્વારા દારૂ જુગારની બદીને સદંતર નાબૂદ કરવા માટે સૂચના કરવામાં આવેલી હોય વાંકાનેર સીટી પોલીસ મથકના પીઆઈ કે.એમ.છાસિયા તેમજ પીએસઆઇ ડી.વી.કાનાણી અને સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાનમાં સ્ટાફના યશપાલસિંહ પરમારને બાતમી મળી હતી કે વાંકાનેરના ટાઉનહોલ પાસે જાહેર પટ્ટમાં અમુક ઇસમો જુગાર રમી રહ્યા છે જેથી કરીને પોલીસે ત્યાં પહોંચીને રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જાહેરમાં જુગાર રમી જયેશભાઈ માત્રાભાઈ બાંભવા (૨૭) રહે.ભરવાડપરા, ગોપાલભાઈ દેવાભાઈ ગમારા (૩૪) રહે.ભરવાડપરા, રવિભાઇ કાળુભાઇ વસાણીયા (૨૭) રહે.કુંભારપરા, સુનિલભાઈ ઉર્ફે કટ્ટી કાળુભાઈ બાબરીયા (૩૧) રહે.વડીયા વિસ્તાર, મેહુલભાઈ વિનયચંદ મારૂ (૪૦) જવાસા રોડ અને સંજયભાઈ બાબુભાઈ દેગામા (૩૧) રહે.કુંભારપરા વાંકાનેરને રોકડા રૂા.૧૦,૩૦૦ ની રોકડ સાથે પકડી પાડવામાં આવ્યા હતા અને છએની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

વૃદ્ધ સારવારમાં

મોરબીના વાંકાનેર હાઈવે ઉપર આવેલ રફાળેશ્વર ગામે ઘરે થયેલ મારામારીના બનાવમાં ઈજા પામેલ રણછોડભાઈ કુંવરાભાઇ ઝાપડા નામના ૬૧ વર્ષના વૃદ્ધને ઈજા પહોંચતા તેમના પત્ની ગંગાબેન દ્વારા તેઓને અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે ધ્રોલની ગૌરી સોસાયટી વિસ્તારમાં રહેતા કરમશીભાઈ વેલજીભાઈ કાંજીયા નામના ૭૦ વર્ષના વૃદ્ધને મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ રાજનગર વિસ્તારમાં બાઈક ઉપરથી બેસીને જતા સમયે બાઇકમાંથી નીચે પડી જવાના બનેલ અકસ્માત બનાવમાં ઇજાઓ પહોંચતા અહીંની ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા જેથી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે






Latest News