તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના દલવાડી સર્કલ પાસે વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાનને રાજકોટ ખસેડાયો


SHARE











મોરબીના દલવાડી સર્કલ પાસે વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાનને રાજકોટ ખસેડાયો

મોરબીની દલવાડી ચોકડી પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં યુવાનને ઇજા પહોંચતા મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નાગડાવાસના રહેવાસી જયેશ દેવદાનભાઇ બોરીચા (ઉમર ૩૨) નામના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઈજા પહોંચેલી હોય તેને મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે અહીંની આયુષ હોસ્પીટલે ખસેડાયો હતો જ્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે જયેશ બોરીચાને રાજકોટ ખસેડાયો હોવાનું સૂત્રમાંથી જાણવા મળેલ છે.વધુમાં મળતી માહિતી મુજબ મોરબીના દલવાડી સર્કલ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઇજા પહોંચેલી હોય જયેશ બોરીચાને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો જેથી હાલ એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ આ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

મારામારીમાં ઇજા થતા સારવારમાં

મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ ઉપર આવેલ પંચમુખી હનુમાન મંદિર સામે રહેતા હિરાભાઈ ભીમાભાઇ ધામેચા નામના ૫૦ વર્ષીય આધેડને તેના ઘેર મારામારીના બનાવમાં ઈજા થતાં તેમના પત્ની હંસાબેને તેઓને સિવિલે સારવાર માટે ખસેડ્યા હતા જ્યાંથી હોસ્પિટલ સત્તાવાળાઓ દ્રારા પોલીસને જાણ કરવામાં આવેલી હોય હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર દ્વારા આ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

બાઈક ગાય સાથે અથડાતા યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ ઉપર આવેલા ધરમપુર ગામે રહેતો બીપીન લાભુભાઈ ઝિંઝુવાડીયા નામનો ૨૬ વર્ષનો યુવાન મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ચોકડીથી મહારાણા પ્રતાપ સર્કલ તરફ જતો હતો ત્યારે રસ્તામાં તેના બાઇક સાથે ગાય અથડાવાનો બનાવ બન્યો હતો જેથી તે બાઈક સહિત નીચે પટકાતા માથાના ભાગે અને ડાબા ખભાના ભાગે ઇજાઓ પામેલ હોય તેને તેનો મોટો ભાઈ સંજય ઝિંઝવાડીયા સારવાર માટે દવાખાને લઈ ગયો હતો અને હોસ્પિટલ સત્તાવાળાઓએ સારવાર કર્યા બાદ પોલીસમાં જાણ કરતાં બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર દ્વારા આ અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News