મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન મોરબી જિલ્લામાં ત્રણ તાલુકા પંચાયત, ત્રણેય તાલુકાની જિલ્લા પંચાયતની બેઠક અને બે પાલિકાની ચૂંટણી લડવા માટે દાવેદારોનો રાફડો ફાટયો મોરબીના લૂંટાવદર ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા છ પકડાયા મોરબીમાં લગ્નના બહાને કરવામાં આવેલ વિશ્વાસધાત-છેતરપીડીના ગુનામાં પકડાયેલ બે આરોપી જામીન મુક્ત મોરબીમાં સીરામીક ઉદ્યોગપતિ સહિત બે વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કરવાના ગુનામાં પકડાયેલ અજય લોરીયા જેલ હવાલે મોરબીમાં ફોરવ્હીલ ગાડીના ટાયરમાંથી હવા કાઢી નાખવા બાબતે થયેલ ઝઘડાનો ખાર રાખીને મહિલાને ત્રણ મહિલા સહિત 6 લોકોએ માર માર્યો મોરબીના રંગપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે માથા-મોઢામાં ઇજા પામેલા યુવાનનું મોત વાંકાનેરના જોધપર પાસે જેસીબીના ચાલકે રિક્ષાને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં એક તરૂણીનું મોત: 4 ને ઇજા
Breaking news
Morbi Today

મોરબીમાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનને ભૂલ સુધારી: ઈનોવેશન ફેરનું પરિણામ બદલાયું


SHARE











મોરબીમાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનને ભૂલ સુધારી: ઈનોવેશન ફેરનું પરિણામ બદલાયું

મોરબીમાં દર વર્ષે શિક્ષકો દ્વારા થતા ઈનોવેશનમાં જિલ્લા તમામ તાલુકામાંથી શિક્ષકો દ્વારા કૃતિઓ રજૂ કરવામાં આવતી હોય છે તેવી જ રીતે ચાલુ વર્ષે પણ શિક્ષકો દ્વારા જુદીજુદી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેમાં પ્રથમ પાંચ કૃતિમાં ટંકારા તાલુકાની જ પસંદગી કરવામાં આવી હતી જેથી કરીને મોરબી જિલ્લાના શિક્ષકોમાં કચવાટની લાગણી ફેલાઈ હતી અને આગામી વર્ષે બીજા તાલુકામાથી કોઈ ભાગ લેશે નહીં તેવું નક્કી કરવામાં આવી રહ્યું હતું તેવામાં મોરબીમાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનને ભૂલ સુધારી છે અને હાલમાં પાંચેય તાલુકામાંથી એક એક કૃતિને પસંદ કરીને નવું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે

 રાજકોટ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા દર વર્ષે ઈનોવેશન ફેરનું આયોજન કરવામાં આવે છે જેમાં શિક્ષકો દ્વારા કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવે છે અને દરેક તાલુકામાંથી શિક્ષકો દ્વારા જે ક્રુતિ રાખવામા આવે તેનું નિરીક્ષણ કરીને ફાઇન વિજેતાના નામ જાહેર કરવામાં આવે છે જો કે, આ વખતના ઈનોવેશન ફેરમાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના લેકચરર અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તમામ કૃતિઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને પ્રથમ પાંચેય કૃતિઓ એક જ તાલુકામાંથી પસંદ કરવામાં આવી હતી જેથી બીજા તાલુકાનાં શિક્ષકોની સાથે અન્યાય કરવામાં આવ્યો હોય તેવો ઘાટ સર્જાયો હતો જેથી કરીને તાલુકાના ઈનોવેટિવ શિક્ષકોમાં કચવાટની લાગણી ફેલાઈ હતી જેથી કરીને પહેલા પરિણામમાં જે પાંચ કૃતિ રાજયકક્ષાના ઈનોવેશન ફેરમાં મોકલવા માટે વિજેતા જાહેર કરવામાં આવી હતી તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને હાલમાં માળીયામાંથી ગોધાણી બેચરભાઈ ઇશ્વરભાઇ, ટંકારામાંથી પંડ્યા સુષ્માબેન કરશનભાઈ, હળવદમાંથી પટેલ વિમલભાઈ હિમંતલાલ, ટંકારામાંથી વાટકીયા પ્રવીણચંદ્ર બાબુલાલ અને મોરબીમાંથી તન્ના અમીતકુમાર રમેશચંદ્રની કૃતિને પાસ કરીને વિજેતા જાહેર કરીને જૂની ભૂલ સુધારીને નવું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે






Latest News