ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં એબીવીપીનું જય વસાવડાની હાજરીમાં હુકાર સંમેલન યોજાયુ  


SHARE





મોરબીમાં એબીવીપીનું જય વસાવડાની હાજરીમાં હુકાર સંમેલન યોજાયુ  

મોરબી એબીવોપી દ્વારા હુંકાર' સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાણીતા મોટીવેશનલ સ્પીકર જય વસાવડા અને કનુભાઈ કરકર ઉપસ્થિત રહ્યા હતા અને સંમેલન બાદ શોભાયાત્રાનું પણ મોરબીમાં આયોજન કરવામાં આવ્યું હતું

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા 'છાત્ર હુંકાર'  સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને તા.૨૪ જાન્યુઆરીના રોજ યોજાયેલ સંમેલનમાં મોટી સંખ્યામાં જીલ્લામાંથી વિદ્યાર્થીઓ આવ્યા હતા અને શનાળા રોડ ઉપર જીઆઇડીસી સામે આવેલ સંસ્કાર બ્લડબેંક ખાતે હુંકાર સંમલેન યોજાયું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે લેખક અને મોટીવેશનલ સ્પીકર જય વસાવડા દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસના સમયમાં ભણવામાં પૂરું ધ્યાન આપવા માટે અને સફળ કારકિર્દી બનાવવા માટે જુદાજુદા દ્રષ્ટાંતો આપીને માહિતી આપવામાં આવી હતી અને ખાસ કરીને સમય કોઇની સાથે રહેતો નથી પરંતુ જો તમે સમયની સાથે રહેતા શીખી જશો તો તમારું ભવિષ્ય ઉજળું છે તેવી ટકોર કરી હતી આ તકે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી જિલ્લાના હોદેદારો સહિતના હાજર રહ્યા હતા




Latest News