મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

અમદાવાદથી ધંધાના કામ માટે આવેલ યુવાનનું વાંકાનેરના મહીકા નજીક માર્ગ અકસ્માતમાં મોત


SHARE







અમદાવાદથી ધંધાના કામ માટે આવેલ યુવાનનું વાંકાનેરના મહીકા નજીક માર્ગ અકસ્માતમાં મોત

વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી બાઈક લઈને મહીકા ગામની સિમ પાસેથી પસાર થઈ રહેલા યુવાનના બાઈકને અજાણ્યા વાહન ચાલકે હડફેટ લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં બાઇક ચાલક યુવાનને ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું જેથી કરીને મૃતક યુવાનના પિતાની વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ફરિયાદ લઈને અજાણ્યા વાહન ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે અમદાવાદના અમરાઈવાડી વિસ્તાર પાસે આવેલ ઇન્દિરાનગરમાં રહેતા પ્રેમજીભાઈ પુંજાભાઈ કંટારીયા (૬૪) એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વાહન ચાલક સામે અકસ્માતની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેનો દીકરો હિરેનભાઈ પ્રેમજીભાઈ કંટારીયા (૩૦) પોતાનું બાઈક નં. જીજે ૨૭ ડીવાય ૪૨૨૨ લઈને પોતાના ધંધાના કામ માટે થઈને વાંકાનેર બાઉન્ડ્રીથી મહીકા ગામની સીમ તરફ આવી રહ્યો હતો ત્યારે રસ્તા ઉપર કોઈ અજાણ્યા વાહન ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું જેથી હિરેનને મોઢા અને છાતીના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ અહીંથી અકસ્માત મૃત્યુના બનાવની મૃતકના પિતાને જાણ કરવામાં આવી હતી જેના આધારે તેઓ પોતાના બીજા દીકરા અને જમાઈની સાથે તાત્કાલિક વાંકાનેર આવ્યા હતા અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક યુવાનના પિતા દ્વારા અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News