માળીયા મિયાણાના બગસરા ગામે પ્રવેશદ્વારનું ખાતમહુર્ત કરવામાં આવ્યું
મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને માર્ગદર્શન અપાયું
SHARE
મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને માર્ગદર્શન અપાયું
મોરબી ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતી સપ્તાહ-૨૦૨૩ અન્વયે સાર્થક વિદ્યામંદિર ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લઇ જતા સ્કૂલ વાહનોના ડ્રાઇવરોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. ટ્રાફિક પીએસઆઈ ડી.બી.ઠક્કર અને કોન્ટેબલ ડી.ડી.ગોહિલે હાજર રહીને ટ્રાફિક સંબંધી ઉપયોગી માહિતી આપી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના વાહન વિભાગના હેડ જાનીભાઈએ સુચારૂ વ્યવસ્થા કરી હતી.શાળા દ્વારા લેવામાં આવતી મિટિંગ, આપવામાં આવતી સૂચના, દરેક ડ્રાઇવરોની વિગત ,તેમજ વાહનોની વિગત, દરેક વાહનમાં વિદ્યાર્થીના લિસ્ટ પત્રકો, વિવિધ નિયમોના પત્રકો વગેરે શાળા દ્વારા રાખવામાં આવતી નાનામાં નાની માહિતી અને વિવિધ કાર્યવાહી જોઈને ટ્રાફિક પીએસઆઇ ખૂબ પ્રભાવિત થયા હતા અને શાળાના કાર્યને પ્રોત્સાહન આપ્યું હતું









