મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

ટંકારા દોશી વિદ્યાલયના ભૂતપૂર્વ છાત્રોનું સ્નેહ મિલન યોજાશે


SHARE











ટંકારા દોશી વિદ્યાલયના ભૂતપૂર્વ છાત્રોનું સ્નેહ મિલન યોજાશે

આગામી 18 મીના રોજ યોજનાર સ્નેહ મિલન માટે ગૂગલ લિંક ઉપર રજીસ્ટ્રેશન કરવું

ટંકારા સ્થિત એમ.પી.દોશી વિદ્યાલય ખાતે ભણી ગયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે આગામી તા.18 ડિસેમ્બરના રોજ સ્નેહ મિલન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે, આ સ્નેહમિલન કાર્યક્રમમાં જોડાવા માટે વોટ્સએપ ગૃપ અને ગૂગલ ફોર્મ લિંક પણ કાર્યરત કરવામાં આવી છે.

ભવ્ય ઐતિહાસિક વારસો ધરાવતી ટંકારાની એમ.પી.દોશી વિદ્યાલય 1964 મા કાર્યરત થયા બાદ અહીંથી ભણી ગણીને અનેક વિદ્યાર્થીઓ સફળ ખેડૂતથી લઈ ઉચ્ચ અધિકારી અને રાજકીય ક્ષેત્રે સફળ બન્યા છે ત્યારે શાળાના ટ્રસ્ટી અને શાળા પરિવાર દ્વારા જુના સંસ્મરણો વાગોળવા આગામી તા.18 ડિસેમ્બરને રવિવારના રોજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે ખાસ સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટેના સ્નેહ મિલન કાર્યક્રમમાં જોડાવા માટે શાળા પરિવાર દ્વારા મોબાઈલ નંબર 6351584117 ઉપર વોટ્સએપ ગ્રુપ કાર્યરત કરી ગૂગલ ફોર્મ મુકવામાંમા આવ્યું છે જેથી કાર્યક્રમમાં જોડાવવા ઇચ્છતા તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે રજિસ્ટ્રેશન ફરજિયાત રાખવામાં આવ્યું છે.સમગ્ર આયોજનને સફળ બનાવવા ટ્રસ્ટી મંડળ શાળાના આચાર્ય વી.એ.ખાંભલા, તથા શાળા પરિવાર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.






Latest News