મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીમાં સિનીયર સીટીઝન સંસ્થા, સહકાર ભારતી, વેપારી મિત્ર મંડળ અને જલારામ મંદિર દ્વારા રાહત દરે અડદીયા વિતરણ


SHARE











મોરબીમાં સિનીયર સીટીઝન સંસ્થા, સહકાર ભારતી, વેપારી મિત્ર મંડળ અને જલારામ મંદિર દ્વારા રાહત દરે અડદીયા વિતરણ

મોરબીમાં જુદી-જુદી સંસ્થાઓ દ્વારા શિયાળાને અનુલક્ષીને લોકો માટે રાહતદરે અડદીયા વિતરણ કરવાનું આયોજન કરવામાં આવેલ છે. સિનીયર સીટીઝન સંસ્થા (વરિષ્ઠ નાગરીક મંડળ), સહકાર ભારતી, વેપારી મિત્ર મંડળ તેમજ જલારામ મંદિર દ્વારા શુધ્ધ ઘીમાંથી બનાવાયેલ અડદીયાનું રાહતદરે વિતરણ કરવા આયોજન કરાયું છે.

જેમાં સિનીયર સીટીઝન કાઉન્સીલ તેમજ સહકાર ભારતી દ્વારા શુધ્ધ ઘીના અડદીયા બનાવીને આગામી તા. 15-12ના રોજ ગુ.બોર્ડ શનાળા રોડ ખાતે આવેલ એ.કે. કોમ્યુનિટી હોલ ખાતેથી તેમજ શનાળા રોડ ગુરુ દત્તાત્રેય મંદિર પાસે આવેલ ડો. બી.કે. લેહરુના દવાખાનેથી રાહતદરે અડદીયા મળશે તેમ સંસ્થાના પ્રમુખ ડો. બી.કે. લહેરુ, મંત્રી મહેશભાઈ ભટ્ટ અને ખજાનચી ત્રંબકભાઈ મહેતાએ યાદીમાં જણાવેલ છે.

મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ ખાતે આવેલ જલારામ પ્રાર્થના મંદિર ખાતે પણ અડદીયા બનાવીને સર્વજ્ઞાતિય લોકો માટે તેનું રાહતદરે વિતરણ કરવામાં આવી રહ્યું છે.જેમાં નામ નોંધાવવાની જરુર નથી. હાજર સ્ટોકમાં હશે ત્યાં સુધી રાહતદરે અડદીયા મળશે તેમ સંસ્થાના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી તેમજ નિર્મિતભાઈ કક્કડે યાદીમાં જણાવેલ છે. જ્યારે મોરબી વેપારી મિત્ર મંડળ દ્વારા પણ શુધ્ધ ઘીના બનાવાયેલ અડદીયા, બદામપાક, ગુંદરપાક વગેરે બોક્સ પેકીંગમાં વિતરણ કરવા આયોજન કરાયેલ છે. વધુ વિગત માટે ઠા.દલીચંદ જેરામ પરાબજાર, જયવિન પ્રોવિઝન (ભગત) ગાંધીનગર ગ્રીન ચોક, ચંદન કિરાના કુળદેવી પાન સામે સામાકાંઠે અથવા મહેક એજન્સી માળીયા સંઘવાણી શેરીમાં સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.






Latest News