તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના કંડલા બાયપાસ નજીક રહેતા પરિવારની સગીર વયની દીકરી સાથે દુષ્કર્મ


SHARE











મોરબીના કંડલા બાયપાસ નજીક રહેતા પરિવારની સગીર વયની દીકરી સાથે દુષ્કર્મ

મોરબીના કંડલા બાયપાસ ઉપર રહેતા પરિવારની સગીરવયની દીકરીની સાથે દૂર વ્યવહાર કરવામાં આવ્યો હોય ભોગ બનેલ પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા હાલ એ ડિવિઝન પોલીસ દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

બનાવ સંદર્ભે વધુમાં મળતી માહિતી મુજબ મોરબીના કંડલા બાયપાસ ઉપરના રહેણાંક વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીર વયની દીકરી સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચારવામાં આવ્યું હતું અને બાદમાં સગીરને તારા ભાઈ અને પિતાને મારી નાંખીશ તેવી ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલ સગીરા ડરી ગઈ હતી બાદમાં આ અંગે પરિવારજનોને સમગ્ર હકીકતની જાણ થતા તેમના પગ હેઠળથી જમીન નીકળી ગઈ હતી અને બાદમાં ભોગ બનેલ પરીવારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે નરસી નથુભાઇ સોલંકી નામના શખ્સની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૭૬ (દુષ્કર્મ) હેઠળ ગુનો નોંધ્યો છે.જેની તપાસ પીએસઆઇ પી.આર.સોનારા ચલાવી રહ્યા છે.

અકસ્માત ગુનામાં ધરપકડ

મોરબીના દરબારગઢ પાસે થોડા દિવસો પહેલા વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં સ્કૂલ બસના ડ્રાઇવર દ્વારા એક મહિલા અને તેના ત્રણ સંતાનોને હડફેટ લેવામાં આવ્યા હતા જેથી કરીને ચારેયને સારવારમાં ખસેડાયા હતા અને સારવાર દરમિયાન નૈકી નામની ૧૧ વર્ષીય બાળકીનું મોત નીપજ્યું હતું જે અંગે ફરિયાદ નોંધાવા પામી હતી અને તેની તપાસ દરમિયાન મોરબી સીટી એ ડિવિઝન પીએસઆઇ કે.એચ.ભોચીયા દ્વારા બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કરી એક જ પરિવારના ચાર સભ્યોને હડફેટ લઇ બાળકીનું મોત નિપજાવનાર બસના ચાલક ભરત નાનજી પઢિયાર જાતે રજપૂત (ઉમર ૫૬) ધંધો ડ્રાઇવિંગ રહે. ખત્રીવાડ વઢવાણિયા શેરી દરબારગઢ પાસે મોરબી વાળાની ઉપરોક્ત ગુનામાં ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.






Latest News