મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનામાં વાલીઓ ગુમાવનાર બાળકોની વાહરે આવતી જુદીજુદી સંસ્થાઓ


SHARE











મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનામાં વાલીઓ ગુમાવનાર બાળકોની વાહરે આવતી જુદીજુદી સંસ્થાઓ

મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટના બની હતી જેમાં ઘણા બાળકોએ તેના વાલીઓ ગુમાવ્યા છે જેથી કરીને આ બાળકોની વાહરે જુદીજુદી સંસ્થાઓ આવી છે જેમાં મોરબીમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા બાળકોના શિક્ષક માટેની તમામ જવાબદારી સ્વીકારવા માટેની તૈયારી બતાવવામાં આવી છે અને ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જે પરિવાર ઘરના મોભીના અવસાનથી પરિવાર નિરાધાર બનેલ છે તેના માટે રોજગારની વ્યવસ્થા કરવાની પણ તૈયારી બતાવવામાં આવી છે

મોરબીમાં બનેલી ઝૂલતા પુલની દુઃખદ ઘટનામાં જે બાળકોના માતા-પિતાના મૃત્યુ થયા છે તેમના બાળકોના ભવિષ્યને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવેલ છે અને આવા બાળકોને સ્વનિર્ભર શાળાઓ નિઃશુલ્ક શિક્ષણ આપશે તેવું નક્કી કરવામાં આવ્યું છે અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના આગેવાનોએ જણાવ્યુ છે કે, જે બાળકોના માતા-પિતા આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે તેઓ મોરબી જિલ્લાની જે ખાનગી શાળામાં અભ્યાસ કરતાં હોય તેઓના શિક્ષણની જવાબદારી જે તે ખાનગી અથવા મોરબી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ઉપાડશે.

ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મુખ્યમંત્રી સહિત કલેકટરને પત્ર પાઠવી દુર્ઘટનાના અસરગ્રસ્તોને શિક્ષણ અને રોજગાર આપવાની તૈયારી દર્શાવી છે અને નોંધારા બાળકોને શિક્ષણ આપવા જીસીસીઆઈએ તત્પરતા દાખવી છે આ સંસ્થાના પ્રમુખ પથિક પટવારીએ મુખ્યમંત્રી અને મોરબી કલેકટરને પત્ર લખ્યો છે જેમાં તેને જણાવ્યુ છે કે, મચ્છુ નદી પર ઝુલતો પુલ તૂટી જવાથીદુર્ઘટના સર્જાઈ છે ત્યારે રાહત કાર્યો તેમજ પુનર્વસવાટ અંગે તમામ શક્ય મદદ પુરી પાડવા માટે સંસ્થા તૈયાર છે આટલું જ નહીં અનેક બાળકોએ પોતાના માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. અનેક કિસ્સાઓમાં કુટુંબના જીવનનિર્વાહની જવાબદારી નિભાવનાર મોભી વ્યક્તિઓએ પોતાનું જીવન ગુમાવ્યું છે. આવા અનાથ થયેલ બાળકોને તેમના શિક્ષણ પરત્વે સહાયરૂપ થવા તેઓ તત્પર છીએ. અને આ સંસ્થા નિરાધાર થયેલ બાળકોના શિક્ષણ માટે નાણાકીય સહાય તેમજ કુટુંબના સભ્યને રોજગાર પુરો પાડવા મદદ કરવા માટે તૈયાર છે






Latest News