મોરબી જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે નયનભાઈ અઘારાની વરણી હળવદના સુંદરગઢ નજીકથી દારૂ ભરેલ કાર સાથે એક આરોપી પકડાયો: 4.60 લાખનો મુદામાલ કબ્જે: એકનું શોધખોળ મોરબીના ઘુંટુ ગામેથી યુવાન ગુમ મચ્છુકાંઠા રબારી સમાજનું ગૌરવ: મોરબીના ચાચાપર ગામના સુનિલભાઈ રાઠોડ બન્યા કલાસ-1 અધિકારી મોરબી મહાપાલિકાની બેઠકો માટે ભાજપમાં સેન્સ લેવા આવેલા આગેવાનોને એકપણ માજી સભ્યને ટિકિટ ન આપવા સામાજીક કાર્યકરે કરી રજૂઆત હળવદના સુંદરગઢ અને કડિયાણા વચ્ચે રોંગ સાઈડમાં આવેલા ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડને ગંભીર ઇજા મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને યુવાન ઉપર પાંચ શખ્સોનો હુમલો: છરી-ધોકા વડે મારમાર્યો કોર્ટમાં કેસ ચાલે છે તે પાછો ખેંચી લેજે નહિતર જાનથી મારી નાખવો પડશે: હળવદમાં રહેતા આધેડને ધમકી
Breaking news
Morbi Today

મોરબીની મચ્છુ નદીમાંથી લાશો નિકલવાનો સિલસિલો થમ્યો, હજુ પણ રેસક્યું ચાલુ: લોકો માટે રાહતના સમાચાર


SHARE











મોરબીની મચ્છુ નદીમાંથી લાશો નિકલવાનો સિલસિલો થમ્યો, હજુ પણ રેસક્યું ચાલુ: લોકો માટે રાહતના સમાચાર

મોરબીની મચ્છુ નદીમાંથી રવિવારે સાંજના સમયે ઝુલતોપુલ તૂટી પડ્યા ત્યાર બાદ એક પછી એક લાશ નીકળવાનો સિલસિલો ચાલુ હતો અને ક્રમશઃ સોમવારે સવારના સમય સુધી આ મચ્છુ નદીમાંથી લોકોની લાખો નીકળતી હતી અને ધીમે ધીમે કરતાં મૃત્યુ આંક ૧૩૪ સુધી પહોંચ્યો છે અને મોરબીના લોકો માટે એટલા રાહતના સમાચાર કહી શકાય કે ગઈકાલે બપોર પછીથી લઈને આજે મંગળવારે સવારના ૧૦ વાગ્યા સુધી મોરબીની મચ્છુ નદીમાંથી વધુ નવો એક પણ મૃતદેહ મળી આવ્યો નથી.

મોરબીની મચ્છુ નદી ઉપર બાંધવામાં આવેલ ઝુલતોપુલ અચાનક ધડાકાભેર તૂટી પડ્યો હતો અને રવિવારે બપોર પછી પુલ ઉપર આનંદ કિલ્લોલ કરી રહેલા પરિવારોની કીકીયારીઓથી આ મચ્છુ નદીનો ઝૂલતો પુલ ગુંજી ઉઠ્યા હતા ઘણા લોકોએ મચ્છુ નદીના પાણીમાં પડી જવાના કારણે પોતાના રિબાઈ રિબાઈને જીવ દીધા છે તે નગ્ન સત્ય છે પરંતુ મોરબી વાસીઓ માટે સારા સમાચાર એ ગણી શકાય તેમ છે કે રવિવારે સાંજથી જે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યા હતા જુદી જુદી સામાજિક અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા લોકોને બચાવવા હતી કામગીરી શરૂ કરવામાં આવી હતી તેના ભાગરૂપે ઘણા બધા લોકોના જીવ બચાવવામાં આવ્યા છે તેમ છતાં પણ કમ નસીબે આ ગોઝારી દુર્ઘટનાની અંદર ૧૩૪ લોકોના સત્તાવાર રીતે અત્યાર સુધીમાં મોત નોંધાઈ ચૂક્યા છે અને હજુ પણ કોઈ વ્યક્તિની ડેડબોડી જો મચ્છુ નદીના પાણીમાં ડૂબી ગઈ હોય તો તેને શોધવા માટે થઈને કામગીરી કરવામાં આવી રહી છે.

જોકે મોરબીવાસીઓ માટે રાહતના સમાચાર એ ગણી શકાય તેમ છે કે સોમવારે સવારે એક બે બોડી મચ્છુ નદીમાંથી ફાયરના જવાનો દ્વારા બહાર કાઢવામાં આવી હતી અને ત્યારબાદ સોમવાર બપોરથી લઈને આજે મંગળવારના સવારના ૧૦ વાગ્યા સુધી ફાયરની ટીમો દ્વારા સતત મળતું નદીના પાણીને ખોડવામાં આવી રહ્યું છે અને જો કોઈ વ્યક્તિ પાણીમાં ડૂબેલ હોય તો તેની બોડીને શોધવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પરંતુ સોમવારે બપોર બાદથી લઈને અત્યાર સુધીમાં નવો એક પણ મૃત દેહ નદીના પાણીમાંથી મળી આવ્યો નથી જેથી કરીને હવે કદાચ નદીના પાણીમાં કોઈ ડૂબેલું ન હોય તેવી શક્યતા સેવાય રહી છે.

મોરબીની મચ્છુ નદીમાં હાલમાં રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી કરતા જવાબદાર અધિકારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે હાલમાં મોરબી હળવદ દ્વારકા ખંભાળિયા જામનગર ગોંડલ ભેરાવળ અમરેલી સુરત ગાંધીનગર અમદાવાદ રાજકોટ ભુજ ભચાઉ અને વડોદરા સહિતના સેન્ટરો માંથી ફાયરની ટીમોને બોલાવવામાં આવી છે અને ફાયરના ૧૬૦ કરતાં વધુ જવાનો દ્વારા હાલમાં મચ્છુ નદીમાં ડૂબી ગયેલ વ્યક્તિઓને શોધવા માટેની સતત કામગીરી કરવામાં આવી રહી છે આટલું જ રહી આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મોરબીની મુલાકાતે આવી રહ્યા હોય તેવો મોરબીમાં તૂટી પડેલ ઝુલતો પુલ, મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રહેલા લોકોની મુલાકાત કરવાના છે અને ત્યારબાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બનાવવામાં આવેલ કંટ્રોલરૂમમાં જવાબદાર અધિકારીઓ સાથે મીટીંગ પણ કરવાના છે જેથી કરીને તે કામગીરી માટે પણ કેટલાક ફાયરના સ્ટાફને પ્રોટોકોલ મુજબ ક્યાં મૂકવામાં આવ્યા હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે.






Latest News