મોરબીના જેતપર ગામે ખેડૂતોના હક્ક માટે આમરણાંત આંદોલનનો આજે બીજો દિવસ: તંત્રની ઘોર બેદરકારી ! મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વીરાંગના રાણી લક્ષ્મીબાઈની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો મોરબી : બુઢા અમરનાથ સાહસિક યાત્રાનું આયોજન, જોડાવા અપીલ મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં વરલી જુગારની 4 રેડ ટંકારાના લજાઈ ગામ પાસે વાડીની ઓરડીમાં ઇલેક્ટ્રીક શોટ લગતા ત્રણ વર્ષના બાળકનું મોત વાંકાનેરના વીડી જાંબુડીયા નજીકથી 1.950 કિલો ગાંજા સાથે એક શખ્સની ધરપકડ: 1.22 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ગાળા ગામના પાટીયા પાસે કાર-ટ્રક વચ્ચે અકસ્માત થતાં દંપતી અને તેના બે સંતાનોને ઇજા મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ
Breaking news
Morbi Today

બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી !


SHARE











બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી !

મોરબી જિલ્લામાં આગામી સ્થાનિક ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને માળિયા નગરપાલિકાની 6 વોર્ડની 24 બેઠકો માટે સેન્સ લેવા માટે થઈને પ્રદેશમાંથી મુકવામાં આવેલા આગેવાનો આવ્યા હતા જોકે, માળિયા શહેરી વિસ્તારમાંથી ભાજપની ટિકિટ માટે સેન્સ આપવા કોઈપણ આગેવાનો ડોકાય ન હતા જેથી અનેક પ્રશ્નો ઊભા થયા છે.

માળીયા મીયાણા નગરપાલિકાના 6 વોર્ડની 24 બેઠકો માટે થઈને જિલ્લા ભાજપ કમલમ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરાવામાં આવી હતી અને પ્રદેશમાંથી મુકવામાં આવેલા નિરીક્ષકો ત્યાં માળિયા પાલિકા વિસ્તારમાંથી આગેવાનો ટિકિટની દાવેદારી કરવા માટે આવે તેની રાહ જોઈને બેઠા હતા પરંતુ આશ્ચર્યની વાતએ છે કે, માળિયા મીયાણા નગરપાલિકાની 24 બેઠકો માટે માળિયા શહેરી વિસ્તારમાંથી એક પણ આગેવાનો દ્વારા ટિકિટ માટેની ભાજપમાંથી દાવેદારી કરવામાં આવી નથી અને આ બાબતે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા સાથે વાત કરતા તેમને પણ જણાવ્યું હતું કે માળીયા (મી) તાલુકા પંચાયત તથા માળિયા તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની બેઠકો માટે થઈને આગેવાનો દ્વારા સેન્સ પ્રક્રિયામાં ભાગ લઈને પોતાની ટિકિટ માટે થઈને દાવેદારી નોંધાવી છે જોકે, માળીયા નગરપાલિકાની 24 બેઠકો માટેની ચૂંટણી જાહેર કરવામાં આવી છે પરંતુ આ 24 બેઠકમાંથી એક પણ બેઠક ઉપર માળિયા શહેરી વિસ્તારમાંથી કોઈપણ આગેવાન ટિકિટ માટે દાવેદારી કરવા માટે આવ્યા નથી અને ત્યાં સંકલનની કાર્યવાહી ચાલી રહી છે અને આગામી સમયમાં ભાજપ માટે માળિયા ખાતેથી પણ સારા સમાચાર મળે તેવા સંકેતો આવી રહ્યા છે.






Latest News