તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડે કારખાનામાં ગેસની લાઇનના બર્નલમાં લીકેજ થતાં આગ: યુવાન દાઝી જતાં સારવારમાં


SHARE











મોરબીના લખધીરપુર રોડે કારખાનામાં ગેસની લાઇનના બર્નલમાં લીકેજ થતાં આગ: યુવાન દાઝી જતાં સારવારમાં

મોરબી નજીકના લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં રાત્રિના બે થી અઢી વાગ્યાના અરસામાં આગ લાગવાની ઘટના બની હતી અને ત્યારે આ બનાવમાં કારખાનાની અંદર કામ કરી રહેલ એક યુવાન દાઝી જતાં તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટમાં લઈ ગયા છે અને આ બનાવની મોરબી નગરપાલિકાના ફાયર વિભાગની જાણ કરતા ફાયરની ટીમે ઘટના સ્થળ ઉપર પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી નજીકના લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક નામના કારખાનામાં રાત્રિના બે થી અઢી વાગ્યાના અરસામાં આગ લાગવાની ઘટના બની હતી અને તેમાં મનોજભાઈ બબનભાઈ મહંતો (ઉંમર ૩૫) રહે. પીપળી રોડ મારુતિ પાર્ક વાળા દાઝી જતા તેને સારવાર માટે મોરબીના ખાનગી હોસ્પિટલમાં પ્રથમ લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે યુવાને ખસેડવામાં આવેલ છે અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આગ લાગવાની ઘટનાની જાણ મોરબી પાલિકાના ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઉપર પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી વધુમાં કારખાનેદાર તુષારભાઈ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે કારખાનામાં ગેસની લાઈનના બર્નલમાં લીકેજ થતા આગ લાગવાની ઘટના બની હતી અને તેમાં એક વ્યક્તિ દાઝી જતાં તેને સારવારમાં ખસેડાયેલ છે






Latest News