તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના રાજપર રોડે સમર્પણ લેમિનેટ કારખાનામાં લાકડાના ભુસામાં આગ લાગતાં દાઝી ગયેલા યુવાનનું મોત


SHARE











મોરબીના રાજપર રોડે સમર્પણ લેમિનેટ કારખાનામાં લાકડાના ભુસામાં આગ લાગતાં દાઝી ગયેલા યુવાનનું મોત

મોરબીના રાજપર રોડ ઉપર આવેલ સમર્પણ લેમિનેટ નામના કારખાનામાં લાકડાના ભુસામાં આગ લાગી હતી જેથી યુવાન ગંભીર રીતે દાઝી જતાં તેને પ્રથમ સારવાર મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટ લઈ ગયા હતા જોકે સારવાર કારગત નહીં નિવડતા તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત મૃત્યુના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી નજીકના ઘૂટું ગામે રહેતા ઘનશ્યામભાઈ પેથાભાઇ ચૌહાણ (ઉંમર ૪૫) મોરબીના રાજપર રોડ ઉપર આવેલ સમર્પણ લેમિનેટ નામના કારખાનામાં કામ કરતા હતા અને કામગીરી દરમિયાન ત્યાં લાકડાના ભુસામાં કોઈ કારણોસર  આગ લાગી ગઈ હતી જેથી કરીને આગ લાગવાની આ ઘટનામાં ઘનશ્યામભાઈ પેથાભાઈ ચૌહાણ ગંભીર રીતે દાજી ગયા હોવાથી તેને સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટ લઈ જતા હતા ત્યારે ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માત મૃત્યુના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

હાર્ટ અટેકથી મોત

મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા મંજુબેન નરશીભાઈ પરમાર (ઉંમર ૬૦) મોરબી નજીકના નીચી માંડલ ગામે તેના સંબંધીની ઉત્તરક્રિયામાં આવ્યા હતા ત્યારે તેને છાતીમાં દુખાવો પડ્યો હતો જેથી તેને સારવાર માટે લઈ જતાં હતા ત્યારે હાર્ટ એટેક આવી જતાં વૃદ્ધનું મોત નીપજયું હતું માટે તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News