મોરબી નજીકથી દારૂની એક બોટલ સાથે બે શખ્સ પકડાયા, 90 હજારથી વધુનો મુદામાલ કબ્જે માળીયા (મી)ના ભાવપર પાસે ટ્રેન હડફેટે આવી જવાથી માનસિક અસ્થિર યુવાનનું મોત મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના રાજપર રોડે સમર્પણ લેમિનેટ કારખાનામાં લાકડાના ભુસામાં આગ લાગતાં દાઝી ગયેલા યુવાનનું મોત


SHARE











મોરબીના રાજપર રોડે સમર્પણ લેમિનેટ કારખાનામાં લાકડાના ભુસામાં આગ લાગતાં દાઝી ગયેલા યુવાનનું મોત

મોરબીના રાજપર રોડ ઉપર આવેલ સમર્પણ લેમિનેટ નામના કારખાનામાં લાકડાના ભુસામાં આગ લાગી હતી જેથી યુવાન ગંભીર રીતે દાઝી જતાં તેને પ્રથમ સારવાર મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટ લઈ ગયા હતા જોકે સારવાર કારગત નહીં નિવડતા તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત મૃત્યુના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી નજીકના ઘૂટું ગામે રહેતા ઘનશ્યામભાઈ પેથાભાઇ ચૌહાણ (ઉંમર ૪૫) મોરબીના રાજપર રોડ ઉપર આવેલ સમર્પણ લેમિનેટ નામના કારખાનામાં કામ કરતા હતા અને કામગીરી દરમિયાન ત્યાં લાકડાના ભુસામાં કોઈ કારણોસર  આગ લાગી ગઈ હતી જેથી કરીને આગ લાગવાની આ ઘટનામાં ઘનશ્યામભાઈ પેથાભાઈ ચૌહાણ ગંભીર રીતે દાજી ગયા હોવાથી તેને સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટ લઈ જતા હતા ત્યારે ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માત મૃત્યુના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

હાર્ટ અટેકથી મોત

મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા મંજુબેન નરશીભાઈ પરમાર (ઉંમર ૬૦) મોરબી નજીકના નીચી માંડલ ગામે તેના સંબંધીની ઉત્તરક્રિયામાં આવ્યા હતા ત્યારે તેને છાતીમાં દુખાવો પડ્યો હતો જેથી તેને સારવાર માટે લઈ જતાં હતા ત્યારે હાર્ટ એટેક આવી જતાં વૃદ્ધનું મોત નીપજયું હતું માટે તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News