મોરબીમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેધીના અધ્યક્ષસ્થાને સંવિધાન હત્યા દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાની 40 ગ્રામ પંચાયતની ચૂંટણીનાં પરિણામો જાહેર થતાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ મોરબીનાં વીશીપરામાં બે પરિવાર વચ્ચે સશસ્ત્ર ધિંગાણુ : 10ને ઈજા મોરબી જિલ્લાની વિવિધ ગ્રામ પંચાયતના વિજેતા સરપંચોના નામ જાણો અહીં મોરબીના વિદ્યુતનગરમાં રહેતા વૃદ્ધનુ હાર્ટ એટેકથી મોત માળીયા મીયાણામાં માવતરના ઘરે આવેલ પરિણીતાએ જીવન ટુકાવ્યું મોરબીના મકનસર ગામે પત્નીને ચડામણી કરવાની ના પાડતા યુવાનને કૌટુંબિક ભાઈ-ભાભી સહિત પાંચ શખ્સોએ માર માર્યો મોરબીના બૌદ્ધનગરમાં જુગાર રમતા 5 શખ્સ 3700 ની રોકડ સાથે પકડાયા
Breaking news
Morbi Today

જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા ખાનગી તબીબો સાથે મીટીંગ યોજાઇ


SHARE















ક્ષય રોગ નિર્મૂલન કાર્યક્રમમાં સહયોગ આપવા મોરબી જીલ્લાના તમામ ખાનગી તબીબોને અપીલ

 

જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા ખાનગી તબીબો સાથે મીટીંગ યોજાઇ

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટીબી નિર્મૂલન અભિયાન ૨૦૨૫ ને સાકાર કરવા માટે મોરબીના તમામ ખાનગી તબીબોને સહયોગી થવાની હાકલ કરી ભારત સરકારના આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ ક્ષય જેવા જાહેર આરોગ્યના ગંભીર રોગને નિર્મૂલન કરવા મોરબી ખાતે નોંધાયેલ તમામ ખાનગી તબીબો આ બાબતે સંવેદનશીલતા કેળવે અને ટીબી નિર્મૂલન ઝુંબેશ સ્વરૂપે ઉપાડે તે માટે ખાનગી હોસ્પીટલોના તબીબો સાથે અધીકારી દ્રારા મિટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

ક્ષયરોગના નિદાન તથા સારવાર અંગેની તમામ વિસ્તૃત જાણકારી  સરકારની સૂચના મુજબ નિયમીત નમૂનામાં આરોગ્ય વિભાગને આપવી તથા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી ટીબી નિર્મૂલન અભિયાન-૨૦૨૫ ની જાણકારી આપવામાં આવી હતી.મોરબીના તમામ ખાનગી તબીબોને ટીબીના દર્દીઓને શોધી યોગ્ય નોંધણી કરવાની આવશ્યકતા ઉપર ભાર મૂકી ભારત સરકારના ૨૦૨૫ સુધીના ટીબી નિર્મૂલન અભિયાનમાં યોગદાન આપવાની અપીલ કરી હતી. તથા ક્ષય પોષણ યોજના હેઠળ ટીબીના દરેક નોંધાયેલ દર્દીઓને સારવાર ચાલુ રહે ત્યાં સુધી સહાય મળે તે બાબતે મોરબી જિલ્લા ક્ષય અધિકારીએ ખાસ ભાર મૂક્યો હતો.






Latest News